Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આજે રાત્રે સોમનાથ ઉત્સવનો પ્રારંભ થશે

સાંસદ રાજેશભાઇ ચુડાસમાના હસ્તે સાંસ્કૃતિક કાર્યક્રમને ખુલ્લો મુકાશે

પ્રભાસ પાટણ, તા.૧૪:સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે કાર્યરત કાર્તિક પૂર્ણિમાના મેળાના ચોથા દિવસે તા.૧૪-૧૧-૨૦૧૯ના રોજ સાંજે ૯ કલાકે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૧૯નો પ્રારંભ કરી ખુલ્લો મુકવામાં આવશે. તા.૧૫ નવેમ્બરના રોજપ્રભારી મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા સોમનાથ ઉત્સવમાં સહભાગી થશે.

ગુજરાત સરકારના રમતગમત,ઙ્ગયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગ,ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને સોમનાથ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આયોજીત સોમનાથ ઉત્સવના પ્રથમ દિવસે તા.૧૪ નવેમ્બરના રોજ સાંજે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી તેમની આગવી શૈલીમાં લોકોને લોકડાયરાનું રસપાન કરાવશે. તેમજ બીજા દિવસે તા.૧૫ નવેમ્બરના રોજ સાંજે ૭ કલાકે શ્રી અમિપ પ્રજાપતિ, શ્રીમતી આશિતા પ્રજાપતિ અમદાવાદ દ્રારા ભકિતસંગીત,ગુજરાત ગૌરવ પુરસ્કૃત કલાકાર ભરત બારૈયા અને અક્ષય પટેલ દ્રારા શિવ મહિમા,ફોરમ તન્ના,પનદ્યટ કલા કેન્દ્ર ગાંધીનગર દ્રારા શિવ સ્તુતી,શ્રી કુશલ દિક્ષિત,શ્રી સંતશ્રઘ્દ્યા એજયુ.ભાવનગર દ્રારા મિશ્રરાસ સહિત દ્યણા કલાકારો અને લોકનૃત્ય મંડળ દ્રારા જુદા-જુદા નૃત્યો,રાસગરબા અને તલવાર રાસ કરવામાં આવશે.

આ કાર્યક્રમના ઉદધાટન પ્રસંગે સાંસદશ્રી ચુનીભાઈ ગોહેલ,પુર્વમંત્રીશ્રી જશાભાઈ બારડ,ધારાસભ્યશ્રી પૂંજાભાઈ વંશ,ભગવાનભાઈ બારડ,મોહનભાઈ વાળા,વિમલભાઈ ચુડાસમા,રાજયબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા,રાજય પ્રવાસન નિગમના પુર્વ ડાયરેકટરશ્રી ઝવેરીભાઈ ઠકરાર,ઙ્ગજિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા,નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(11:44 am IST)