Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૨૭ પોઝિટિવ કેસ : વધુ એકનું મોત

જૂનાગઢ તા. ૧૦ : જૂનાગઢ જિલ્લાના કોરોનાના વધુ ૨૭ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. તંત્રના અથાગ પ્રયાસો વચ્ચે પણ કેસો વધતા તંત્ર ચિંતામાં મુકાય ગયું છે.

રવિવારે જૂનાગઢ જિલ્લામાં નવા ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં જૂનાગઢ શહેરના ૧૮ કેસનો સમાવેશ થાય છે.

જૂનાગઢમાં વધુ ૧૮ પોઝિટિવ કેસ થતાં કુલ કેસનો આંક વધીને ૬૬૭ થયો છે.

ગઇકાલે વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ થયું હતું. આમ કેસ અને મોત વધતાં લોકોએ હજુ પણ સાવચેતી રાખવાની આવશ્યકતા છે.

(12:55 pm IST)