Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મઘરવાડામાં ગાય ભેંસ છોડાવવા જતાં જગદીશભાઇનું સર્પદંશથી મોત

કોથળામાં છુપાઇને બેઠેલા એરૂએ હાથમાં દંશ દીધોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૦: કુવાડવાના મઘરવાડામાં વાડીએ સાપ કરડી જતાં જગદીશભાઇ રામજીભાઇ ગોહેલ (ઉ.વ.૫૮) નામના વાળંદ પ્રોૈઢનું મોત નિપજ્યું છે.

જગદીશભાઇ સાંજે પોતાની વાડીએ હતાં ત્યારે ગાય ભેંસને ચારા પાણી માટે છોડવા ગયા ત્યાં કોથળો પડ્યો હોઇ તે દૂર હટાવવા જતાં તેમાં છુપાઇને બેઠેલા સાપે જમણા હાથની આંગળીમાં દંશ મારી દેતાં  ઝેર ચડતાં પહેલા ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇ ધગલે જાણ કરતાં કુવાડવાના હેડકોન્સ. મહાવીરસિંહ ઝાલા અને હેમતભાઇ ધરજીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તહેવારમાં આ બનાવ બનતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(12:09 pm IST)