Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રાજુલા સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ સ્વામિનો સત્સંગ યોજાયો

રાજુલા તા.૯ : અહીના ડુંગર રોડ પર આવેલ બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ મંદિર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય શાકોત્સવ તેમજ સ્વામીજીના સત્સંગ પ્રવચનો યોજાયેલ.

આ શાકોત્સવ પ્રસંગે પૂ.ઓમપ્રકાશ સ્વામીએ મનનીય પ્રવચનો સાથે સ્વામીજના પરચાની કથા વાર્તાઓ કહી સત્સંગીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

સત્સંગ સમાજના બાળકો દ્વારા આકર્ષક વેશ પરિધાન કરી રાસ રજૂ કર્યા હતા.

સ્વામીનારાયણ ભગવાનની આરતી મુખ્ય યજમાન દિલીપભાઇ બારોટ, જયેશભાઇ સરવૈયા, શૈલેષભાઇ વઢવાણ તથા ધાારસભ્ય અંબરીશ ડેર, ન.પા. પ્રમુખ કનુભાઇ, જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ, દિલીપભાઇ જોશી, સંજયભાઇ ધાખડા, અમીતભાઇ જોશીએ કરી હતી.

શાકોત્સવનો પ્રસાદ ર હજાર ભકતોએ ગ્રહણ કર્યો હતો વ્યવસ્થા સાધુ ભકિતમય દાસ સાધુ વિનમ્રમુનીદાસ, સાધુ અખંડમંડલદાસ, સાધુ સરલમુકિતદાસએ વ્યવસ્થા સંભાળી શાકોત્સવને સફળ બનાવ્યો હતો.

(11:53 am IST)