Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પોરબંદર એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન

પોરબંદરઃ ગુજરાત એનએસયુઆઇના કાર્યકરો ઉપર હિચકારો હુમલો કર્યો છે ત્યારે પોરબંદર એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસઙ્ગ દ્વારા ગાંધી વિચારધારાને અનુસરી હિંસાની સામે અહિંસક લડાઈ લડવાનું નક્કી કર્યું છે ત્યારે મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી અન્યાય સામે ન્યાયની લડાઈ માટે માણેક ચોક ખાતે બાપુને પુષ્પહાર પહેરાવી અને યુવાનોએ કાળી પટ્ટી ધારણ કરી અહિંસક રસ્તે વિરોધ પ્રદર્શન કર્યું હતું  જેમાં પોરબંદર જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ કિશન રાઠોડ,કેનિત ઝાલા,ઉમેશરાજ બારૈયા, નિહાલ જોષી,કુણાલ રજવાડી, રોહન પાડાવદરા, રોહિત સિસોદિયા, પ્રતિક વાઢિયા, અક્ષિત દવે,વિજય મદલાણી, યશ ઓઝા જિલ્લા ટીમ અને કોલેજ ટીમ હાજર રહી હતી .યુવક કોંગ્રેસના ધર્મેશ પરમાર, હોરીભાઇ કોટિયા,રાહુલ ચુડાસમા,ઇરફાન બુખારી, કાંતિ બુધેચા, દિપક ઓડેદરા, પ્રકાશ મકવાણા વગેરે હાજર રહ્યા હતા. વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની તસ્વીર.

(11:27 am IST)