Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ટેકેદારો સાથે કર્યા દ્વારકાધીશના દર્શન

ધુધાભાઇ ભરવાડે રાખેલ માનતા દર્શન કરી પૂર્ણ કરી :ભરવાડ સમાજ દ્વારા સન્માન

દ્વારકા :રાજ્યના મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજીભાઈ  બાવળીયાએ ટેકેદારો સાથે દ્વારકાધીશના દર્શન કર્યા હતા ચોટીલા ખાતે કોળી સમાજનું વિશાળ શક્તિપ્રદર્શન કર્યા બાદ રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ  બાવળીયા તેમના ટેકેદારો સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા

  . જયારે પેટા ચૂંટણીમાં જીત બદલ ધુધાભાઇ ભરવાડે રાખેલ માનતા તેમની સાથે દર્શન કરી પૂર્ણ કરી હતી.ત્યારબાદ ભરવાડ સમાજની જગ્યા પર તેમનો ભરવાડ સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથો સાથ આ તકે મુલા ભરવાડની જગ્યા પર આવેલ રામ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

 આ તકે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ આવનાર 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળે તેમજ નરેન્દ્રભાઈ  મોદી જ દેશના વડાપ્રધાન બને તેવી કામના ભગવાન દ્વારકાધીશ પાસે કરી હતી

(6:55 pm IST)