Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ખંભાળિયાના સ્મશાનમાં રર મૃતદેહોનો એક દિ'માં અગ્નિ સંસ્કાર

ખંભાળિયા તા.૩  : શહેર તથા નજીકના વાડી વિસ્તારોમાં ગઇકાલે એક જ દિવસમાં ૧૦ થી ૧પ કોરોનાથી તથા હૃદયરોગના હુમલા તથા બીમારીમાં રરના મોત થતા ખામનાથ પાસેના હિન્દુ સ્મશાનમાં આ  તમામની અર્થીઓ એક પછી એક આવતા સ્મશાનના તમામ પાંચ ખાટલા હાઉસફુલ થઇજતાં સવારે ગયેલાનો વારો સાંજે અને બપોરે બાર વાગ્યે ગયેલાના વારા સાંજે ૭ થી ૮ વાગ્યે આવે તેવી સ્થિતિ થઇ હતી તો એક સાથે પાંચ પાંચ ખાટલામાં બળતી ચિતાઓથી ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા તો એક સાથે આટલી ચિંતા આવતા જેમ કોરોનામાં હોસ્પિટલો ફુલ થાય છે તેમ સ્મશાન ફુલ જેવા દ્રશ્યો સર્જાયા હતા.

ઇલેકટ્રીક સ્મશાન બંધ

પાલિકા સંચાલિત સ્મશાનને ઇલેકટ્રીકથી ચાલે છે તેમાં સતત મૃતદેહોના અંતિમ સંસ્કારથી તેથી પાઇપો ધુમાડા તથા ડુચાથી ભરાઇ જતાં સમારકામ માટે એ દિવસથી બંધ થતાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર પણ સાદા ખાટલામાં કરવા પડે તેવી સ્થિતિ થાય છે.

(3:17 pm IST)