Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ખીરઇ ગામના સરપંચ અને પત્રકાર બુખારીના માતૃશ્રીએ ૭૫ વર્ષની ઉંમરે કોરોનાને મહાત આપી સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા

માળીયામીંયાણા તા.૩ : માળીયામીંયાણાના ખીરઇ ગામના સરપંચ મહંમદભાઇ બુખારી અને પત્રકાર રજાક બુખારીના માતૃશ્રીએ ૭૫ વર્ષની ઉંમરે કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા હતા. ખીરઇ ગામે રહેતા સરપંચ મહંમદભાઇ બુખારીના માતૃશ્રી જન્નતના બુખારીની તબિયત અચાનક લથડતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં ટુંકી સારવાર લીધી હતી જયા કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવતા સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા.

સી.યુ.શાહ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોની ટીમો અને સ્ટાફે કોરોના દર્દીઓની સારવારમાં સતત ખડેપગે રહી હોસ્પિટલમાં ઘર જેવુ વાતાવરણ ઉભુ કરી હકારાત્મક વિચારથી દર્દીઓના મનોબળ મજબૂત બને તે રીતે યોગ્ય સારવાર આપતા હોવાનુ જન્નતામાં બુખારીએ જણાવ્યુ હતુ તેમજ આ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ ડોકટરોએ પોતાનુ કર્તવ્યનિષ્ઠાથી રાતદિવસ કોરોના પેશન્ટને રાઉન્ડ ધ કલોક ચેકઅપ કરવાની સાથે તટસ્થ રીતે ધ્યાન આપી ઓકસીજન પર રહેલા દર્દીઓને ખાણીપીણીની દેખરેખ સહિતની ઉતમ સારવાર પોતાના ઘર પરિવારની પરવાહ કર્યા વિના પોતાના સ્વજનો સમજી જે ખડેપગે સારવાર આપી તે ઉડીને આંખે વળગે તેવી હોવાનુ અને સમયસર સારવાર મળવાની સાથે ડોકટરોની કામગીરીનો ભારોભાર પ્રશંસા કરી હતી.

જીન્નતમાં બુખારીએ ૧૪ દિવસ ગંભીર પરિસ્થિતિમાં ઓકસીજન વેન્ટીલેટર પર રહી સારવાર બાદ સાજા થઇ ઘરે પરત ફરતી વેળાએ ડોકટરોનો આભાર માનતા જણાવ્યુ હતુ કે, સી.યુ.શાહ હોસ્પિટલના ડોકટરોની ઉતમ યોગ્ય અને દિલથી જે સારવાર આપી જેના કારણે આજે હુ સ્વસ્થ થઇ ઘરે પરત ફરૂ છુ તેને હુ નવજીવન સમજુ છુ. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોતાનુ સ્વજન દાખલ હોય અને ચિંતા ન હોય તેમ દિકરા મહંમદભાઇ બુખારીએ રાત દિવસ હોસ્પિટલ બહાર ૧૪ દિવસની આકરી તપસ્યા અને પોતાની માતા માટે પરિવારથી અલગ રહી માતાના સ્વાસ્થ્ય માટે સતત ખબર અંતર પુછતા રહેતા અંતે પોતાની માતાએ જંગ જીતી જૈફવયે કાતિલ કોરોનાને મ્હાત આપી હોસ્પિટલ બહાર આવતા જ પોતાના મુરીદો કે જે સતત મદદરૂપ બન્યા છે. તેઓને જન્નતમાં અબ્બાસમીયા બુખારીએ આશિષ આપી ડોકટર સહિતનો આભાર વ્યકત કર્યો હતો આમ માતા હોસ્પિટલના બિછાને હોય દિકરો બહાર ૧૪ દિવસ દેખરેખ માટે કપરી પરિસ્થિતિનો સામનો કરી માતા માટે દુઃખ સહન કરી નેમ લઇને બેઠેલા દિકરાએ માતાને સ્વસ્થ થઇ જતા ખુશી વ્યકત કરી અલ્લાહ તાલ્લાહ ભગવાનનો આભાર માની ઘરે પરત ફર્યા હતા. જેના પરથી એમ કહેવાય કે મા બાપથી મોટુ આ દુનિયામાં કોઇ નથી તે તેમના દિકરા સરપંચ મહંમદભાઇ બુખારીએ સાબિત કરી સમાજને માબાપ પ્રત્યેના પ્રેમની માંની મમતાની ભાવનાનો સંુદર સંદેશો આપ્યો હતો.

(11:43 am IST)