Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અમરેલી નગરપાલિકા દ્વારા સેનેટાઇઝીંગ ટનલનું નિર્માણ : વ્યકિત પાંચ સેકન્ડમાં જીવાણુ મુકત થશે

આરોગ્ય સાથે સંકળાયેલ સ્થળે ટનલ મુકવાથી ૭૦ ટકા ખતરો ટાળી શકાય : નજીવા ખર્ચમાં આરોગ્ય સામે રક્ષણ મેળવવા મશીન વસાવવા ઇચ્છનીય

અમરેલી તા. ૩ : હાલ સમગ્ર વિશ્વ કોરોનાવાયરસ - કોવિડ ૧૯ના ભરડામાં છે. ત્યારે કોરોના ની મહામારીને પહોંચી વળવા ભારત સરકાર તેમજ રાજય સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આ સમયે વહીવટી તંત્ર પણ અલગ-અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ મહામારી સામે બાથ ભીડવા આગળ આવ્યું છે.ઙ્ગ

અમરેલી નગરપાલિકા દ્વારા લોકડાઉનમાં સતત કાર્યરત પોલીસકર્મીઓ, આરોગ્યકર્મીઓ તેમજ સફાઈકર્મીઓ સાથે ૨૪ કલાક કાર્યરત સેવકર્મીઓના આરોગ્યની તકેદારી માટે ઙ્ગઅતિ આધુનિક સેનેટાઝિંગ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પોલીસ કર્મીઓ, આરોગ્યકર્મીઓ સાથે અનેક લોકો પોતાના જીવના જોખમે પણ આપણી સુરક્ષા માટે ૨૪ કલાક પોતાની ડ્યુટી પર હાજર રહે છે. આવા સમયે આપણા આ યોદ્ઘાઓને કોરોનાવાયરસનું સંક્રમણ ન લાગે તે માટે તેમને જીવાણુ મુકત કરવા અમરેલી નગરપાલિકાએ એક નવતર પહેલ કરી છે. જેમાં પ્રવેશ કરતાં જ માણસનું સંપૂર્ણ શરીર સેનેટાઈઝ પામે છે, અને જીવાણુંમુકત થાય છે.

અમરેલી નગરપાલિકાના એન્જીનીયર શ્રી ખોરાસીયાએ આ સેનેટાઝિંગ ટનલ વિશે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓ, ટ્રાફિકપોલીસ, નગરપાલિકાના સફાઈ કર્મીઓ લોકડાઉનમાં પણ કોરોનાના સંક્રમણ વચ્ચે સતત કાર્યરત છે, તેઓ પોતાની ફરજ પરથી પોતાના ઘરે જાય ત્યારે ઙ્ગતેઓ સંપૂર્ણ રીતે જીવાણુ મુકત હોય તે જરૂરી છે. તેથી તેમના સ્વાસ્થ્યની તકેદારી માટે અને તેમને સેનેટાઇઝિંગ કરવા અમે આ પ્રકારની પહેલ કરી છે. ઈટાલીના આ પ્રકારના મશીન પરનો વિડિઓ જોઈ અમને પ્રેરણા મળી અને માત્ર ૩૬ કલાકમાં જ અમે સેનેટાઇઝિંગ ટનલ બનાવી છે. અમરેલીના પરમાર મિકેનિકલ વર્કસના યુવા એન્જીનીયરોના સંપર્કમાં રહી અને કલેકટરશ્રીના તેમજ નગરપાલિકા સદસ્ય ગણના માર્ગદર્શન પ્રમાણે તેમજ આરોગ્ય વિભાગના સૂચનો પ્રમાણે તાત્કાલિક ધોરણે અદ્યતન સેનેટાઈઝીંગ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેની લંબાઈ ૧૨ ફૂટ છે. બહારની તરફ પમ્પ લગાડેલો છે તેમજ ફકત ૧૨ ડી.સી.કરંટનું વીજ કનેકશન છે. આ ટનલમાં ૨૪ કલાક પાણી તેમજ સેનેટાઈઝરની સપ્લાય મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.ઙ્ગ

ફરજ પરથી ઘરે પર જતાં પૂર્વે ૧૨ ફૂટની આ ટનલમાં પ્રવેશ કરતાંની સાથે જ પાંચ સેકન્ડમાં લોકોનું શરીર જીવાણુઓ મુકત થઇ જશે. આ ટનલમાં પ્રતિમિનિટે એક લીટર સેનેટાઇઝરનો વપરાશ કરવામાં આવે છે. સેન્સર દ્વારા વ્યકિતના પ્રવેશ કરતાંની સાથે જ ટનલમાં પમ્પ કાર્યરત થઈ જાય છે.ઙ્ગ કોરોનાની મહામારી વચ્ચે તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ આરોગ્ય સાથે સંકળાયેલ સ્થળો પર આ પ્રકારની સેનેટાઇઝિંગ ટનલ મૂકવામાં આવે તો ૭૦ ટકા ખતરો ટળશે. ઓછા ખર્ચે આરોગ્ય સામે રક્ષણ મેળવવા સૌએ આ પ્રકારના મશીન અપનાવવા ઇચ્છનીય છે.(

(12:58 pm IST)