Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ભાવનગર અષાઢી બીજે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સાદગીથી નીકળશે

ભાવનગર તા. ર :.. દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં સ્વ. શ્રી ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રજયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વરસે તા. ર૩-૬-ર૦ ને મંગળવારના રોજ ૩પ મી ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.રથયાત્રાની તૈયારીના ભાગરૂપે ભગવાનના રથની મેઇન્ટેનન્સ તથા લાઇટ, સાઉન્ડ વગેરે તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે.હાલની કોરાનાની મહામારીને ધ્યાનમાં લઇને આ વરસની રથયાત્રા સાદગી પુર્ણ રીતે નીકળશે. રથયાત્રાની વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવેલ છે. અને રથયાત્રાના સ્વરૂપ અને સંખ્યા માટે વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી કોરોનાના નિયમો અને સુરક્ષાને સંપૂર્ણ ધ્યાને લઇ નકકી કરવામાં આવશે.રથયાત્રાના આયોજન બાબતે રથયાત્રા સમિતિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની એક મીટીંગ તા. ર-૬-ર૦ને મંગળવારનાા રોજ સાંજે પ કલાકે સુભાષનગર મંદિર ખાતે રાખવામાં આવેલ છે.

(11:30 am IST)