Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

પોરબંદરમાં કોરોનાથી ૩ દર્દીઓના મૃત્યુઃ નવા પર પોઝીટીવ કેસઃ ૩ર દર્દીઓ સાજા થયા

(પરેશ પારેખ, સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા.૧ :  જિલ્લામાં ર૪ કલાકમાં કોરોનાના ૩ દર્દીઓએ દમ તોડી દીધો હતો. કોરોના પોઝીટીવ નવા કેસો પર આવ્યા છે. ૩ર દર્દીઓ કોરોના સારવારમાં સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.

કોરોનાના ગઇકાલે પપ૮ ટેસ્ટ કરવામાં  આવ્યા હતાં. જેમાં પર વ્યકિતઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. આ પર કેસ બીરલા કોલોની જયુબેલી વાડી પ્લોટ બોખીરા વગેરે વિસ્તારોમાંથી આવ્યાં હતા. કોરોનાની સારવાર ૩ર દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં  કોરોનાથી ર૪ કલાકમાં ૩ મૃત્યુ થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૧૩૦ પહોંચ્યો છે.

(12:51 pm IST)