Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સરસ્વતી શિશુ મંદિર દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહતફંડમાં અઢી લાખની સહાય

રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોના વાયરસ અસરગ્રસ્તોને સહાયરૂપ થવાની અપીલના પ્રતિસાદરૂપે સરસ્વતી શિશુ મંદિર દ્વારા રાહતફંડમાં અઢી લાખની સહાય આપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ ટ્રસ્ટ - સરસ્વતી વિદ્યામંદિર સંકુલ સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર અને મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાનીએ રાજકોટ નિવાસી કલેકટર શ્રી પંડ્યા ૧.૫૦ લાખ રૂપિયાની આર્થિક સહાયનો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં તેમજ ૧ લાખ રૂપિયાની આર્થિક સહાયનો ચેક પ્રધાનમંત્રી રાહતફંડમાં અર્પણ કર્યો હતો. આ તબક્કે કોરોનાની કટોકટીભરી સ્થિતિમાં તમામ સંસ્થાઓ અને સમગ્ર જનતાએ પોતપોતાની સામાજીક ફરજ અદા કરે એવંુ અપૂર્વભાઈ મણીઆરે યાદીમાં જણાવ્યુ છે.

(4:23 pm IST)