Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

તંત્ર સજ્જ : શહેરના મીડિયા હાઉસ સહિતના સ્થળોએ દવા છંટકાવ

રેલનગર, પોપટપરા, માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક સુધીના રોડ પર જંતુ મુકત કરવા કાર્યવાહી : બિનાબેન, ઉદિત અગ્રવાલ, અશ્વિન મોલીયા તથા ઉદય કાનગડનું માર્ગદર્શન

રાજકોટ તા. ૩૦ : કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ સ્થળો પર મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં આજે શહેરના તમામ મીડિયા હાઉસ તથા પોપટપરા - રેલનગર મેઈન રોડ અને માધાપર ચોકડી થી સિવિલ હોસ્પિટલ સુધીનો બંને સાઈડનો રોડ સહિતના મેઈન રોડના વિવિધઙ્ગ સ્થળો પર છંટકાવ થઈ ગયેલ છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે, તેમ મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સંયુકત યાદીમાં જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, શહેરના તમામ મીડિયા હાઉસમાં આજથી ડિસઇન્ફેકટ કરવાની કાર્યવાહી તેમજ પોપટપરા મેઈન રોડ અને સબરોડ, રેલનગર મેઈન રોડ અને સબરોડ, માધાપર ચોકડી થી સિવિલ હોસ્પિટલ સુધીના બંને સાઈડના રોડ વિગેરે સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મનપાની ટીમ આ કાર્યવાહી કરી રહી છે.ઙ્ગ

આ કામગીરી મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિ. કમિશનરના સતત માર્ગદર્શન અને સૂચના હેઠળ ચીફ ફાયર ઓફિસર ડી.જે. ઠેબાની નિગરાની હેઠળ થઈ રહેલ છે.

(4:08 pm IST)