Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા ૨૫૧ કીટનું નિઃશુલ્ક વિતરણ

રાજકોટઃ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા રાજપુતાના અને કોરોના ગ્રુપના બંધુઓ દ્વારા અનાજ કરિયાણાની ૨૫૧ કિટનું વિતરણ કરવામાં આવેલ. શ્રી ચરણસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પારેવડા રામપર મદારી (વાદી) જામનગર રોડ સ્લમ કવાર્ટસ, ગાંધીગ્રામ, કોઠારીયા સોલવંટ, બેડીપરા, પાંજરાપોળ વિસ્તાર તેમજ જરૂરીયાત વાળા પરિવારના લોકોને અલગ અલગ વિસ્તારમાં કરીયાણાના કિટ વિતરણ કરાયું હતું. જરૂરીયાતમંદોએ કીટ માટે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાજકોટ કાર્યાલય અતિથી પાર્ટી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, કે.કે.વી.હોલ ચોક રાજકોટ ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:08 pm IST)