Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વિપરિત સ્થિતીમાં ફરજ બજાવતા કર્મશીલોને ધન્યવાદઃ માંધાતાસિંહ

રાજકોટ,તા.૩૦: ઠાકોર સાહેબ પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી માંધાતાસિંહ જાડેજાએ વર્તમાન સ્થિતિમાં પોતાની ફરજ બજાવી રહેલા તમામ કર્મચારીઓ, સ્વયંસેવકો, વિવિધ સંસ્થાના કાર્યકરોને ધન્યવાદ પાઠવ્યા છે.

સાથે જ સમગ્ર દેશમાં અને આપણા રાજકોટમાં પણ સેવારત સરકારી અધિકારીઓ, કર્મચારીઓને પણ એમની નિષ્ઠા માટે અભિનંદન આપ્યા છે. આખી દુનિયા જ્યારે એક અકળ સ્થિતિનો સામનો કરી રહી છે. ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જે રીતે આવી પરિસ્થિતિ સામે કાર્યવાહી કરી છે. તેના માટે તેઓ પણ અભિનંદનના અધિકારી હોવાનું જણાવ્યું છે.

ગણતરીના દિવસોમાં જ ૨૨૦૦ બેડની હોસ્પિટલ  કોરોના દર્દીઓ માટે ઉભી કરીને ગુજરાત સરકાર અને આપણા મુખ્યમંત્રીએ જે કર્યું એના માટે એમને અભિનંદન આપવા જ રહ્યા.

પોલીસ કર્મચારીને વીમા કવચ, ખેડૂતને ખેતરમાં જવાની છૂટ, શ્રમિકોને વળતર આવા અનેકવિધ નિર્ણય સરકારે ઝડપથી કર્યા છે. અત્યારના સંજોગોમાં આટલા ઝડપી નિર્ણય કરવા, અમલ કરવોએ ઘણી મોટી વાત હોવાનું અંતમાં માંધાતાસિંહે જણાવ્યું છે.

(3:48 pm IST)