Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સદ્ગુરૂ આશ્રમે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

શ્રી કૃષ્ણ શરણંમમ મંત્રજાપ-કથા-પૂજન આરતીના કાર્યક્રમો

રાજકોટ તા. રરઃ- શ્રી સદ્ગુરૂ આશ્રમ માર્ગ પર આવેલ શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ-(પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ર૪, શનિવારે આઠમના પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણજન્મોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે ર૧ વૈષ્ણવ સાધુ સંત ભગવાન દ્વારા શ્રી કૃષ્ણશરણં મમ મંત્ર જાપ સવારેઃ-૯ થી ૧ર સુધી તથા રાત્રેઃ- ૮ થી ૧૧ વાગ્યા સુધી., બાદ રાત્રિનાં ૧૦:૩૦ થી ૧૧:૩૦ સુધીઃ-ભગવાન શ્રી કૃષ્ણજન્મની કથા. ૧૧:૩૦ થી ૧ર સુધીઃ- ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન, રાત્રિના ૧ર કલાકેઃ- ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ તથા આરતી થશે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:39 pm IST)