Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

વોર્ડ નં. ૧૦ માં વિષ્ણુ વિહાર સોસાયટીના ગાર્ડનનું હરિસિંહજી ગોહીલ નામકરણ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૦ યુનિ. રોડ પર આવેલ વિષ્ણુ વિહાર સોસાયટીના ગાર્ડનનું નામકરણ કરવાની સ્થાનિક રહીશોની માંગણી સંતોષાતા તાજેતરમાં મહાનગરપાલીકા દ્વારા આ બગીચાનું નામકરણ 'હરિસિંહજી ગોહીલ ગાર્ડન' કરવામાં આવેલ છે. મુઠી ઉંચેરા માનવી અને જનસંઘના જુના અગ્રણી હરીસિંહજી ગોહીલનું નામ અપાતા આ નામકરણનો કાર્યક્રમ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજની ઉપસ્થિતીમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, મંત્રી રાજભા વાઘેલા, ભાજપના મહેન્દ્રસિંહ ચુડાસમા, વિપુલભાઇ જાની, અશોકસિંહ જાડેજા, વી. ડી. વઘાસીયા, ઉર્વશીબા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિષ્ણુવિહાર સોસાયટીના પ્રમુખ પ્રતિપાલસિંહ ગોહીલ, આર. જી. વાઘેલા, પદુભા સરવૈયા, મયુરસિંહ જાડેજા, સી. કે. જાડેજા, નિર્મલસિંહ ઝાલા, વીરભદ્રસિંહ ચુડાસમા, ભુપતસિંહ રાણા, જોગેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ ભટ્ટ, અનુરૂધ્ધસિંહ રાણા, બી. બી. જાડેજા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:37 pm IST)