Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વિશ્વ આદિવાસી દિન નિમીતે ભીલવાસ ચોકમાં ધ્વજવંદન- સન્માન- આતશબાજી

શ્રી રાજકોટ ભીલ પંચાયત દ્વારા વિશ્વ  આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત સવારે ભીલવાસ ચોકમાં ધ્વજ વંદન સમાજના વડિલોના હસ્તે કરવામાં આવેલ. ભીલસમાજના ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ના તેજસ્વી તારલાઓનું રાજકોટ મ્યુનિસીપલ કમીશ્નર શ્રી ઉદિત અગ્રવાત, પો.કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ, રાજકોટ એડીશનલ કલેકટરશ્રી પી.બી. પંડયા દ્વારા ગૌરવ પ્રમાણપત્રથી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજકોટ ભીલ સમાજનાના વડિલો વિજયભાઈ વાગડીયા, ધનસુખભાઈ રાઠોડ, રણજીતભાઈ પરમાર, ગોરધનભાઈ વાઘેલા, અમરશીભાઈ પરમાર હસ્તક દરેક સમાજના તારલાઓને કોલેજબેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાંજે ભીલવાસ ચોકમાં આતશબાજી કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રાજકોટ ભીલ પંચાયતના પ્રમુખ આશીષભાઈ વાગડિયા, ઉ.પ્રમુખ સાગરભાઈ વાગડિયા, મહામંત્રી યોગેશભાઈ રાઠોડ, ખજાનચી ધનસુખભાઈ રાઠોડ, ગોરધનભાઈ વાઘેલા તેમજ સમગ્ર કારોબારી સભ્ય પરિમલ મુલિયાણા, દિપક પરમાર, વૈભવ પરમાર, પારસ વાઘેલા, રણજીત વાગડિયા, સંજય રાઠોડ, પ્રકાશભાઈ કોલી, મનોજભાઈ મકવાણા, ભાવેશભાઈ કડવાતર, અમીત કડવાતર વિગેરે જહેમત ઉઠાવેલ.

(4:10 pm IST)