Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કાલે રાજકોટ કલેકટર કચેરી ખાતે પ્રતીક ધરણા

વિનામૂલ્યે રાશન વિતરણ છતાં લોકોને રઝળપાટ થતી હોય પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યુગુરુ અને વિપક્ષ નેતા વશરામ સાગઠીયાના નેતૃત્વમાં ધરણા

રાજકોટ: સમગ્ર ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ગરીબ તથા શ્રમિક વર્ગના લોકોને અને મધ્યમવર્ગના લોકોને સરકાર દ્વારા વિનામૂલ્યે રાશનનું વિતરણ કરવામાં આવે છે પરંતુ લોકોને રઝળપાટ થતી હોય ત્યારે જરૂરિયાતમંદોની મદદ માટે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલભાઈ રાજયગુરુ અને વિપક્ષ નેતા વશરામભાઈ સાગિઠયાની આગેવાનીમાં  આવતીકાલે તા.3 એપ્રિલનાં રોજ સવારે 10:30 કલાકે  કલેકટર કચેરી ખાતે પ્રતીક ધરણા યોજશે.

(8:48 pm IST)