Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020
નિવૃત રેલ કર્મચારીના પુત્રવધુ ગીતાબેન મકવાણાનું અવસાન

રાજકોટઃ ગીતાબેન કિશોરભાઇ (કમલેશભાઇ) મકવાણા (ઉ.વ.૫૧) તે સ્વ. કાનજીભાઇ (નિવૃત રેલ કર્મચારી)ના પુત્રવધુ અને સ્વ. કિશોરભાઇ કમલેશભાઇના ધર્મપત્નિ તથા અરવિંદભાઇ, હસમુખભાઇના મોટા ભાભી તેમજ સ્વ. સાગરભાઇ, પ્રશાંતભાઇ તથા અનિતાબેન ધર્મેશકુમાર ડાભીના માતુશ્રીનું તા. ૧/૬ના અવસાન થયું છે. કોરોનાની પરિસ્થિતિને કારણે ટેલિફોનીક બેસણું (મો. ૯૮૯૮૮ ૭૨૩૧૫, ૯૯૨૪૮ ૧૧૦૮૫, ૮૬૨૦૬ ૦૯૪૪૫, ૮૧૬૦૬ ૫૮૭૮૮) તા. ૪ના ગુરૂવારે રાખ્યું છે. લોૈકિક ક્રિયા બંધ રાખેલ છે.

અવસાન નોંધ

મ.અયુબભાઇ નાયકનું અવસાનઃ કાલે જીયારત

રાજકોટઃ મ.અયુબભાઇ કાસમભાઇ નાયક તે રફીકભાઇ કાસમભાઇના નાનાભાઇ તથા હુસેનભાઇ કાસમભાઇ (મોરબી અકિલા ટેક્ષી ડ્રાઇવર)ના મોટાભાઇ તથા જીસાન અને મોસીનના પિતા તા.૧ ના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે.

તેમની જીયારત તા.૩ને બુધવારે સવારે ૧૦ વાગ્યે કોરોના મહામારીના કારણે ઘરમેળે રાખેલ છે.

ધોરાજીઃ શ્રી જાગનાથ મહાદેવ મંદિરના પૂજારીનું અવસાન

ધોરાજી : બાલદા ચોરા કુંભારવાડા રોડ ઉપર આવેલ જાગનાથ મહાદેવ મંદિરના પૂજારી સુરેશભાઇ પરસોતમભાઇ ભારથી ઉંમર વર્ષ ૬૦ તે ધર્મેશ ભારથી, જયેશ ભારથી, સંજય ભારથીના પિતાનું તા. ૩૧ રવિવારના રોજ કૈલાશવાસ થયેલ છે.

સદ્ગતનું બેસણું અને પ્રાર્થના સભા તા. ૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, જાગનાથ મહાદેવ કુંભારવાડા રોડ, ધોરાજી ખાતે રાખેલ છે. ટેલીફોનિક બેસણું મોબાઇલ નંબર ૯૯૭૯૬ ૪૧૭૬૩ ઉપર રાખેલ છે.

લીલાબેન યાજ્ઞિક

રાજકોટઃ લીલાબેન મુકુંદરાય યાજ્ઞિક (ઉ.વ.૮૧) તે એમ.વી.યાજ્ઞિક (એડવોકેટ)ના ધર્મપત્ની, ડો.મહેન યાજ્ઞિક, ઉમા વિરેન્દ્ર ત્રિવેદીનાં માતુશ્રી તથા ભાવના મહેન યાજ્ઞિક તથા વિ.કે.ત્રિવેદી (માર્ગ મકાન વિભાગ)નાં સાસુનું તા.૧/૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોમાં તમામ પ્રકારની લૌકિક પ્રથા બંધ રાખેલ હોય ફોન દ્વારા સાંત્વના પાઠવવા વિનંતી.

હસમુખરાય પોપટ

રાજકોટઃ હસમુખરાય છોટાલાલ પોપટ (ઉ.વ.૬૯) તે સ્વ.છોટાલાલ ભગવાનજીભાઈ પોપટના પુત્ર તે મીનાબેનના પતિ તે વંદનાબેન, મેઘાબેન, જલ્પાબેનના પિતાશ્રી તે પંકજભાઈ રાજા, અમીતભાઈ બગડાઈના સસરા તે સ્વ.ગીરધરલાલ સવજીભાઈ સેજપાલના જમાઈનું તા.૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું ગુરૂવાર તા.૪ના રોજ મો.૯૯૨૪૯ ૦૪૦૨૮, ૯૫૭૪૬ ૮૦૦૬૯ પર રાખવામાં આવેલ છે. સદ્દગતની લૌકિક ક્રિયા બંધ છે.

તરૂણભાઇ છત્રાળા

ધોરાજી : ગૌ.વાસી કંસારા વલ્લભદાસ દામોદરદાસના સુપુત્ર તે ધોરાજી રમેશભાઇના નાનાભાઇ ધીરૂભાઇ કિરીટભાઇ તથા અમદાવાદ શૈલેષભાઇના મોટાભાઇ સુરત, રવિભાઇ, રાજુભાઇના પિતાશ્રી હાલ સુરત કંસારા વૈ.તરૂણભાઇ વલ્લભભાઇ છાત્રાળા ઉ.વ. ૬૧, તા. ર૬-પ-ર૦ર૦ મંગળવારે સવારે ૮ વાગ્યે શ્રી ગોપાલ ચરણ પામેલ છે. ટેલિફોનીક બેસણું ગુરૂવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. રમેશભાઇ ધોરાજી-૯૯૯૮૪ ૮રર૧૬, ધીરૂભાઇ ધોરાજી-૯૯રપ૧ ૩૪૮૪૬, કિરીટભાઇ ધોરાજી-૯૪ર૭૪ ૯૭ર૧૪, રવિભાઇ સુરત-૭પ૬૭૦ રર૭૬પ, રવિભાઇ સુરત-૯૯૧૩૧ ૯૪૭૬પ, રાજુભાઇ સુરત-૯૦૯૯૧ ૮૯૮૭૯, રાજુભાઇ સુરત-૭પ૬૭ર ૯૦૭૬ર 

દિનકરરાય ભટ્ટ

મોરબીઃ મોઢ બ્રાહ્મણ દિનકરરાય અમૃતલાલ ભટ્ટ (ઉ.વ. ૮૮) તે હરકાંતભાઇ (શ્રી શાંતિનિકેતન વિદ્યાલય), બીપીનભાઇ (શ્રી નલીની વિદ્યાલય), પરેશભાઇ (એસ.ટી. મોરબી)ના પિતાનું દુઃખદ અવસાન થયેલ છે. હાલની સ્થિતિને ધ્યાને લઇને લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૦૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

પ્રેમીલાબેન ઠાકર

ઉપલેટાઃ સ્વ. ધીરજલાલ જેઠાલાલ ઠાકરના ધર્મપત્ની પ્રેમીલાબેન (ઉ.વ. ૮ર) તે મુકુંદરાય તથા ઘનશ્યામભાઇ ઠાકર (પ્રેસ રીપોર્ટર)ના માતૃશ્રી તથા તેજશ ના દાદીમા તા. ૧ સોમવારે શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરીસ્થિતિ ધ્યાને લઇ બેસણું તથા લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મો. ૯૪ર૭૪ ૧૦૪૬૧ ઉપર દિલાશો પાઠવી શકાશે.

મનોરમાબેન ભટ્ટ

રાજકોટઃ ચાડીયા નીવાસી હાલ રાજકોટ ગુજરાતી હાલારી સમવાય ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ મનોરમાબેન મનસુખભાઇ ભટ્ટ (ઉ.વ. ૭૩) તે મનસુખભાઇ વેણીશંકર ભટ્ટના ધર્મપત્નિ તથા પ્રશાંતભાઇ તથા નીપાબેનના માતૃશ્રી તેમજ દિનકરરાય વેણીશંકર ભટ્ટ-ચલાલા તથા રસીકલાલ હિંમતલાલ ભટ્ટ-ચાડીયાના ભાભી, તથા સ્વ. જટાશંકર વેણીશંકર ત્રિવેદીના પુત્રી તથા રાજેન્દ્રભાઇ, જયેન્દ્રભાઇ, સ્વ. પ્રવિણભાઇ, વિજયભાઇ, અશ્વિનભાઇ, હર્ષદભાઇ, મનુભાઇ, જગદીશભાઇના બહેનનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ તેમની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સવિતાબેન અભાણી

રાજકોટઃ ગં.સ્વ.સવિતાબેન મોહનલાલ અભાણી (ઉ.વ.૯૩)  તે સ્વ.મહેન્દ્રકુમાર, યોગેન્દ્રભાઈ તથા સતિષભાઈ અભાણી (એસબીઆઈ)ના માતુશ્રી અમરીશ અને શ્રેયસના દાદીમા તા.૩૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

રમીલાબેન ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડિયા અક્ષર નિવાસી અ.નિ.રમીલાબેન ઘનશ્યામભાઈ ટાંક તે ઘનશ્યામભાઈ પી.ટાંકના ધર્મપત્ની તથા પ્રશાંતભાઈ, દેવાંગીબેન, તુપ્તીબેન તથા હેમાંગીબેનના માતુશ્રી તથા મગનભાઈ એસ. કાચાના પુત્રી જેમનો, તા.૧ના રોજ અક્ષરવાસ થયેલ છે. જેમની પ્રાર્થનાસભા ફોન પર તા.૪ને ગુરૂવારે રાખેલ છે. ફોન નં. ૯૯૯૮૮ ૧૭૨૪૩ / ૯૮૭૯૫ ૮૩૪૩૯, મોસાળ પક્ષ (વિમેશભાઈ એમ.કાચા) મો.૮૨૩૮૧ ૮૧૫૮૧ (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.)

અમૃતલાલ કોટેચા

રાવલ : રાવલ નિવાસી શ્રી કોટેચા અમૃતલાલ હરીદાસ (અમુભાઇ સાયકલ વાળા) (ઉ.વ.૮પ), તે સ્વ. કાંતિભાઇ કટલરીવાળા તથા ગોવિંદભાઇ (ભાટીયા) ના મોટાભાઇ તથા હિતેશભાઇ, મદુબેનના પિતાશ્રી તથા જયંતિલાલ રૂઘાણી (રાજકોટ)ના સસરા તથા ચિરાગ તથા વિશાલના દાદા તા. ૧ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે. તા. ૪ ને ગુરૂવારે સદ્ગતનું શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, દરબારગઢ, રાવલ ખાતે મર્યાદિત કૌટુંબિક રીતે માત્ર પ્રાર્થના માટે ૪ થી ૪.૩૦ ઉઠમણું રાખેલ છે. અન્ય તમામ સગા-સ્નેહીઓ માટે ટેલીફોનિક બેસણું મો. હિતેશભાઇ (૯૮૭૯૦ ૪૭૩૦૦) ઉપર દિલસોજી પાઠવેલ છે.

ઉષાબેન ગોસ્વામી

રાજકોટઃ રાજકોટ નિવાસી ધીરજપરી ગોસ્વામીના ધર્મપત્ની ઉષાબેન (ઉ.વ.પ૭) તે મયંકપરીના માતા તથા કિશોરપરી, મહેશપરી, મુકેશપરીના ભાભીનું તા.૩૧ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તેમના નિવાસસ્થાને ગુરૂવાર તા.૪ને સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો. નં. ૯૮ર૪પ ૩૭૦૧૮

નીતિનભાઈ કારેલીયા

રાજકોટઃ લુહાર નીતિનભાઈ કારેલીયા તે સ્વ.ચુનીભાઈ આંબાભાઈ કારેલીયાના નાના પુત્ર તથા ધારાબેન અને પ્રિયંકાબેનના પિતા તથા હેમાંગભાઈ અને હર્ષલભાઈના કાકા તા.૩૦ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું (ટેલીફોનીક) તા.૪ને ગુરૂવારના રોજ ૩ થી ૫ રાખેલ છે. મો.૭૦૧૬૪ ૦૮૬૯૬ / ૮૪૬૦૦ ૪૪૧૮૪

સૈફુદ્દીન લક્ષ્મીધર

રાજકોટઃ ધોરાજી લક્ષ્મીધર (સફર ડીશવાળા) તે હકીમભાઈ સૈફુદ્દીનભાઈના પપ્પા (મો.૭૬૨૩૮ ૭૨૬૫૧), મર્હુમનાભાઈઓ- જીવાભાઈ, શબ્બીરભાઈ, અબ્બાસભાઈ, મનસુરભાઈના ભાઈ, બહેનો જેતુનબેન, રૂકશાનાબેન, સાહેદાબેન અને સમીમબેન, દીકરીઓ- મુબીનાબેન, દુરૈયાબેન, માસુમાબેન અને શીરીનબેન, દીકરાની વહુ- અલીફિયાબેન, તે બુરહાનુદ્દીનના દાદા તા.૨ના વફાત થયા છે. હાલના સંજોગો વસાત મર્હુમની જીયારતના સીપારા ઘરમેળે રાખેલ છે.

અનિલભાઈ છાબરીયા

રાજકોટઃ અનિલભાઈ શ્યામલાલ છાબરીયા તે શ્યામલાલ (અનિલ પાન)ના પુત્ર તે ઘનશ્યામભાઈના ભત્રીજા તે સુમીતના પિતા, તે જીતુભાઈ, મનીષભાઈ, લક્ષમણભાઈ, નંદુભાઈ, ભરતભાઈ, દિપકભાઈ, પરેશભાઈના ભાઈનું તા.૧ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું પઘડીયું તા.૩ બુધવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ સંતપ્રસાદ ગાયકવાડી ૭/૮નો ખૂણો, જંકશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.

કિરણબેન સંચાણીયા

જેતપુરઃ વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સ્વ.હર્ષદભાઇ નરશીભાઇ સંચાણીયાના પુત્ર શૈલેશભાઇના ધર્મપત્ની કિરણબેન (ઉ.૪ર) તે કાંતિભાઇ, મહેન્દ્રભાઇ, સુનિલભાઇના નાનાભાઇના પત્ની, પરેશભાઇના ભાભી, ઉમંગના માતુશ્રી તા.૧ના અવસાન થયું છે. તેનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૪ર૯૯ ૧૯પ૩૭, ૯૩ર૮૬ પ૧પ૧૮

ભાવનાબેન ભટ્ટ

વેરાવળઃ સોરઠીયા સારસ્વત બ્રાહ્મણ ભાવનાબેન કનૈયાલાલ ભટ્ટનુ (ઉ.૬૩) તે રાજેશભાઇના માતુશ્રી તથા ભરતભાઇ, પ્રમોદભાઇ, હરેશભાઇ, અશોકભાઇના ભાભી તા.૩૧ ના રોજ અવસાન પામેલ છે સદ્દગતનું બેસણું તા.૧/૬ બપોરે  ૪ થી ૬ જલારામ સોસાયટી ડાભોર રોડ અમારા નિવાસ સ્થાન વેરાવળ ખાતે રાખેલછે.