Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

૩૭૦ બાદ નાગરિક સુધારા બિલ પસાર કરવાની તૈયારી

મોદી-૨ સરકારનું બીજુ સંસદ સત્ર ઉપયોગી રહેશે : બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવા યોજના

નવીદિલ્હી, તા. ૧૭ : સંસદનું શિયાળુ સત્ર કેવું રહે છે તેના ઉપર રાજકીય પંડિતોની પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકારનું આ બીજુ સંસદ સત્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પ્રચંડ બહુમતિ સાથે બીજી વખત સત્તામાં આવ્યા બાદ આ બીજુ સંસદ સત્ર છે. પ્રથમ સત્ર ખુબ જ ફળદાયી રહ્યું હતું જેમાં ત્રિપલ તલાક, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને વધુ સત્તાઓ આપવા સંબંધિત બિલ પાસ કરવામાં આવ્યા હતા. ઉપરાંત જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદી પણ કરવામાં આવી હતી. આ વખતે જટિલ સિટિઝનશીપ સુધારા બિલ પાસ કરવા માટે સરકાર તૈયાર છે. ભાજપના ચાવીરુપ મુદ્દા તરીકે આને જોવામાં આવે છે. જુદા જુદા પડોશી દેશોમાંથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની આમા યોજના રહેલી છે. સરકારે આ સત્ર માટે કારોબારની યાદીમાં આ બિલને પ્રાથમિકતા આપી દીધી છે.

                      સરકારે અગાઉની અવધિમાં આ બિલ રજૂ કર્યું હતું પરંતુ વિરોધ પક્ષો તરફથી જોરદાર વિરોધ પ્રદર્શનના કારણે આ બિલ પાસ થઇ શક્યું ન હતું. ધાર્મિક આધાર પર પક્ષપાત હોવાનો આક્ષેપ વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવ્યો છે.  છેલ્લી લોકસભાના વિસર્જન બાદ આ બિલ લેફ્ટ થઇ ગયુ ંહતું. આ બિલમાં હિન્દુઓ, જૈન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી લોકો જે બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાંથી શરણાર્થી તરીકે આવ્યા છે તેમને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. છ વર્ષથી વધુ સમયથી ભારતમાં રહેતા આવા લોકોને નાગરિકતા આપવાની વાત ચાલી રહી છે. સત્ર ફળદાયી રહે તે હેતુસર સર્વપક્ષીય બેઠક શનિવારના દિવસે યોજાઈહતી જેમાં વિરોધ પક્ષોએકહ્યું હતું કે, અર્થતંત્રમાં આર્થિક મંદી, ખેડૂતોની દુર્દશા,બેરોજગારી સહિતના મુદ્દા ઉપર સરકારને પ્રશ્ન કરવામાં આવશે. આ સત્ર ૧૩મી ડિસેમ્બરે પૂર્ણ થશે.

(12:00 am IST)