Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપર સફળ બ્રેઇન સર્જરી: વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા : રૂટિન ચેકઅપ દરમિયાન તેમને કોરોના પોઝિટિવ આવેલ

દિલ્હી : આર્મી હોસ્પિટલ ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપર સફળતાપૂર્વક બ્રેઇન સર્જરી કરવામાં આવી છે અને મગજના કલોટને દૂર કરવામાં આવ્યો છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

આ પહેલા રૂટિન ચેકઅપ દરમિયાન તેમને કોરોના પોઝિટિવ આવેલ. રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે તેમના પુત્રી સાથે વાતચીત કરી ખબરઅંતર પૂછ્યા હતા. રાહુલ ગાંધી, મમતા બેનર્જી, કેજરીવાલ સંખ્યાબંધ નેતાઓએ તેમના ખબર પૂછ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમની તબિયતની પૂછપરજ માટે હોસ્પિટલે દોડી ગયા હોવાનું જાણવા મળે છે.

(10:29 pm IST)