Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ભીલ પરિવારના ૧૧-૧૧ ની આત્મહત્યા પાછળ ભારે ભેદભરમઃ હત્યાની પણ ચર્ચા

જોધપુરઃ પાકિસ્તાનથી ૮ વર્ષ પૂર્વે રાજસ્થાન નિરાશ્રીત બની આવેલ ભીલ પરિવારના ૧૧-૧૧ સભ્યોના મૃતદેહ મળી આવતા સન્નાટો પ્રસરી ગયો છે. ઘરની અંદર સુતેલા તમામના મોત થયા છે. એ બધાએ ઉંદર મારવાની દવા પીધી હોવાનું ખૂલ્યું છે.

ઘરની બહાર સુતેલ બચી ગયો છે. સુસાઇડ નોટ પણ આવી છે હત્યાની પણ શંકા સેવાય છે.

જોધપુરથી ૧પ૦ કી.મી.દૂર દેચૂ કે લોડતા અચલાવતા ગામમાં ૧૧ લાશ મળી તેમાં ઘરના મુખિયા પતિ-પત્નિ, ત્રણ પુત્રી, એક પુત્ર, બે પૌત્ર, એક પૌત્રી સહિતના સામેલ છે.

કહેવાય છે કે ખેતરનું રખોપુ કરવા નિકળેલ પરિવારનો એક સભ્ય જીવત બચી ગયો છે. તેણે પોતાની બે બહેનોના સાસરાવાળા ઉપર આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવા રિપોર્ટ કર્યો છે.

પારિવારિક ઝઘડાના પગલે આત્મહત્યા કર્યાનું મનાય છે. માત્ર કેવલરામ એક જ જીવીત રહ્યો છે. મળેલ સુસાઇડ નોટ પ્રિયા નામની મૃતક મહિલાએ લખેલ હોવાનું મનાય છે. બુદ્ધારાતના પુત્ર કેવલરામ અને રવિના લગ્ન મંડોર થાણા નીચે આવેલ આંગણવા ગામમાં થયેલ છે. કૌટુંબિક ઝઘડાને લીધે પરિવારની વહુઓ સસુરાલ આવતી ન હતી. કેવલરામે કહેલ કે સાસરા પક્ષવાળા ધમકી આપતા હતા.

ખૂબ ભેદભરવાળી આ ઘટના જો સામુહિક આત્મહત્યા હોય તો કેવલરામ એક શા માટે જીવિત રહ્યો ? હત્યા થઇ છે તો કોણે કરી ?

(3:38 pm IST)