Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભારતમાં ૩૦ રાજ્યોમાં કોરોના આતંક : કેસોની સંખ્યા ૨,૭૦૪

મોતનો આંકડો ૭૨થી ઉપર પહોંચી ગયો : નવા કેસો સપાટી પર : દેશમાં કોરોનાના હજુ એક્ટિવ કેસની સંખ્યા ૨૨૮૦ રહેલ છે : ૧૯૧ લોકો રિક્વર થઇ ગયા : કોરોના વાયરસને રોકવાના તમામ પ્રયાસો યથાવત જારી

નવી દિલ્હી, તા.૩ : દુનિયાની સાથે સાથે દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી. ભારતમાં નવા કેસોની સંખ્યા વધીને હવે ૨૭૦૪ સુધી પહોંચી ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધીને ૭૨ સુધી પહોંચી ગયો છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ બે હજારથી ઉપર રહેલી છે. મહારાષ્ટ્ર , કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિળનાડુ, ગુજરાતમાં કેસોની સંખ્યા વધારે રહેલી છે. કેટલાક હોટ સ્પોટ કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. કોરોના વાયરસની અસર થયા બાદ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને ૧૯૧ સુધી પહોંચી ગઇ છે. યુદ્ધના ધોરણે તમામ પગલા દેશમાં લેવામાં આવી રહ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. 

               વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે.  કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે.  ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે.  દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે. તમામ રાજ્યો અને જિલ્લાઓને સરહદ સીલ કરવાની સૂચના આપવામાં આવી ચુકી છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે.  જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે. 

                હાલમાં સરકાર કોમ્યુનિટી ટ્રાન્સમીશનના અહેવાલને રદિયો આપી રહી છે. સોમવારના દિવસે સંખ્યા ૧૩૪૭ હતી. જે મંગળવારના દિવસે વધીને ૧૬૦૦થી ઉપર પહોંચી ગઇ હતી. બુધવારના દિવસે કેસોની સંખ્યા ૧૯૦૦થી ઉપર પહોંચી હતી.ગઇકાલે ગુરૂવારના દિવસે કેસોની સંખ્યા ૨૨૦૦થી ઉપર પહોંચી ગઇ છે.  આજે શુક્રવારના દિવસે કેસોની સંખ્યા ૨૫૦૦થી ઉપર પહોંચી ગઇ છે જે દર્શાવે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે.  ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો. ત્યારબાદ બે મહિનામાં કેસોની સંખ્યા ૧૫૦૦ થઇ હતી. જ્યારે ત્યારબાદ ૧૪મી માર્ચ બાદ કેસોમાં એકાએક જંગી વધારો થયો છે. કુલ કેસો પૈકી ૪૦ ટકાથી વધારે  કેસો છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે.  મોતનો આંકડો વધીને ૭૨ ઉપર પહોંચી ચુક્યો છે. સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૧૯૧ ઉપર રહેલી છે. મોડી રાત સુધી કેસોમાં વધારો જારી રહ્યો હતો.

દેશમાં કોરોના કેસ ક્યાં કેટલા

કોરોનાએ દેશના તમામ રાજ્યોને સકંજામાં લીધા

નવીદિલ્હી,તા. ૩ : દુનિયાની સાથે સાથે દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી. ભારતમાં નવા કેસોની સંખ્યા વધીને હવે ૨૫૪૩ સુધી પહોંચી ગઇ છે.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૧૩૨

૦૦

છત્તીસગઢ

૦૯

૦૦

દિલ્હી

૨૧૯

૦૧

ગુજરાત

૯૫

૦૧

હરિયાણા

૪૯

-

કર્ણાટક

૧૨૪

૦૦

કેરળ

૨૮૬

૦૮

મહારાષ્ટ્ર

૩૩૫

૦૩

ઓરિસ્સા

૦૪

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૨

૦૦

૧૧

પંજાબ

૪૮

૦૦

૧૨

રાજસ્થાન

૧૦૮

૦૨

૧૩

તેલંગાણા

૧૦૭

૧૦

૧૪

ચંદીગઢ

૧૮

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૭૫

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૧૭૨

૦૧

૧૮

ઉત્તરાખંડ

૦૭

૦૧

૧૯

બંગાળ

૫૩

૦૦

૨૦

તમિળનાડુ

૪૧૧

૦૬

૨૧

મધ્યપ્રદેશ

૧૦૪

૦૦

૨૨

હિમાચલ

૦૩

૦૦

૨૩

બિહાર

૨૯

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

૨૫

મિઝોરમ

૦૧

૦૦

૨૬

ગોવા

૦૫

૦૦

૨૭

આંદામાન નિકોબાર

૧૦

૦૦

૨૮

ઝારખંડ

૦૧

૦૦

૩૦

આસામ

૧૬

૦૦

(9:37 pm IST)