Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પૂંછ પછી રાજૌરી સરહદ ઉપર પાકિસ્તાન સેના દ્વારા નિયંત્રણ રેખાનુ સરેઆમ ઉલ્લંઘનઃ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં ૩ પાક સૈનિકોને મારી પડાયા

જમ્મુ, તા. ૩ :. વારંવાર ભારતીય સેનાના જડબાતોડ જવાબમાં ધૂળ ચાટતી થઈ જતી પાકિસ્તાન સેના તેની હરકતોથી વાજ નથી આવતી. ગણતરીના દિવસોમાં પૂંછ સેકટર બાદ રાજૌરી એલઓસી ઉપર પાકિસ્તાન દ્વારા સીસફાયરનું ઉલ્લંઘન કરી ગોળાબારી કરવામાં આવતા ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનના ૩ સૈનિકોને મારી પાડયા છે. જવાબી હુમલામાં બે જવાનો ઘાયલ થયાના સમાચારો પણ બહાર આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજૌરી જિલ્લાના સુંદરબની સેકટરમાં પાકિસ્તાનની સેનાએ દિવસે ભારતીય સેનાની અગ્રીમ ચોકીઓને નિશાન બનાવી અચાનક ગોલાબારી શરૂ કરી દેતા ૬ જવાનો ઈજાગ્રસ્ત બન્યા હતા. જેને સેનાની હોસ્પીટલમાં પહોંચાડવામાં આવ્યા છે. આ ઘટનાની જવાબી કાર્યવાહીમાં ભારતીય જવાનો દ્વારા ગોળીબારી કરવામાં આવી હતી. લગભગ ૧ કલાક ચાલેલા ધાણીફુટ ગોળીબારમાં પાકિસ્તાનની ચોકીઓને પણ નુકશાન પહોંચ્યુ છે ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ ગોળીબારી બંધ કરી દીધી હતી. આ હુમલામાં પાકિસ્તાનના ૩ સૈનિકોના મોત થયાનું અને બેથી વધુ ઘાયલ થયાનું સૂત્રો જણાવી રહ્યા છે.

(3:25 pm IST)