Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના હેલ્પલાઇન નંબર પર સંપર્ક ન થવાથી લોકો પરેશાનઃ નંબર વ્યસ્ત હતો અથવા પહોંચની બહાર

ન્યુ દિલ્લીઃ દિલ્લીમાં રહેનાર અંકુર તિવારીને હળવો તાવ, ગળામાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પછી પેરાસિટામોલની ગોળી ખાધી પણ રાહત ન થઇ એમને કોરોના વાયરસ સંક્રમણની આશંકા સતાવવા લાગી.

મદદ માટે એમણે કોવિડ-૧૯ હેલ્પલાઇન નંબર પર વાત કરવાનો પ્રયાસ કર્યો પણ ઘણી કોશિશો છતાં નાકામ રહ્યા. તિવારીએ પીટીઆઇને બતાવ્યું હેલ્પ લાઇન નંબર વ્યસ્ત હતો અથવા પહોંચની બહાર હતો. મે અડધા કલાક સુધી પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. એ છેલ્લે પોતાના સ્થાનિક ડોકટર પાસે ગયા ડોકટરે કહ્યું ફકત ફલ્યૂ છે, ગભરાશો નહીં.

(12:00 am IST)