Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

નડિયાદ તાલુકાના પીપલગ ગામે મહીં સિંચાઈ કેનાલમાંથી આધેડની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

નડિયાદ: તાલુકાના પીપલગ ગામ પાસેથી પસાર થતી મહિ સિંચાઇની કેનાલમાંથી ગતરોજ ૫૩ વર્ષીય આધેડની લાશ મળી આવી હતી. કેનાલમાં લાશ તણાતી હોવાનો મેસેજ નડિયાદ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડની ટીમે કેનાલ પર પહોચી લાસ બહાર કાઢી હતી. જેની ઓળખ અંગે તપાસ કરતા મૃતક ભાનુભાઇ કાંતીભાઇ મકવાણા (ઉ. વ. ૫૩) ઉત્તરસંડા ગામના હોવાનું જાણવા મળ્યું હતું. જેઓ ગુમ થયા અંગે તેમના ભાઈ રાજેશભાઇ કાંતીભાઇ મકવાણાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે મૃતકની લાશનું પોષ્ટમોર્ટમ કરાવ્યા બાદ લાશને પરીવારજનોને સોંપી હતી. જોેકે મૃતકે શા માટે આત્મહત્યા કરી તે બાબતે કોઇ ચોક્કસ માહીતી પરિવાર દ્વારા પોલીસને નહી જણાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(5:44 pm IST)