Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

આણંદ નજીક બાકરોલના તળાવમાંથી સવારના સુમારે 45 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર: મૃત્યુ અંગે રહસ્ય ઘૂંટાયું

આણંદ:પાસેના બાકરોલ ગામના તળાવ પાસેથી આજે સવારના સુમારે એક ૪૫ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને થતાં પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને તળાવના પાણીમાંથી  બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આણંદ પાસેના બાકરોલ ગામે આવેલ તળાવના પાણીમાં એક મહિલાનો મૃતદેહ તરતો લોકનજરે ચઢ્યો હતો. થોડીક જ ક્ષણોમાં લોકોના ટોળેટોળા તળાવ કિનારે ઉમટી પડયા હતા. દરમ્યાન આ ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસ તેમજ ફાયરબ્રિગેડને થતા બંને ટીમો પણ તળાવ કિનારે પહોંચી ગઈ હતી. પોલીસે ૪૫ વર્ષીય આ મહિલાના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. 

(5:42 pm IST)