Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાજપીપળામાં ૫ કોરોના પોઝિટિવ સહિત નર્મદા જિલ્લામાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૮૮ એ પહોચ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

 નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે . રાજપીપળા માં હાઉસિંગ બોર્ડ ૧ , રાજપૂત ફળિયું ૧, માલિવાડ ૧, આદિત્ય બેંગ્લો ૧, કડીયાભૂત ૧ એમ કુલ ૫ કોરોના પોઝિટિવ નોંધાયા છે       ઉપરાંત નાંદોદ તાલુકાના કરાઠા ગામે ૨, ધારીખેડા ૧, વાવડી ૧ ઉપરાંત ડેડીયાપડા તાલુકાના મંડાણા ૧, સાગબારા ના ગોરડા માં ૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે આમ જિલ્લામાં કુલ ૧૧ પોઝિટિવ દર્દી નોંધાયા છે.

 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટરમાં ૨૪ દર્દી દાખલ છે આજે ૪ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૨૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૮૮ એ પોહોચ્યો છે આજે વધુ ૩૦૨ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(6:55 pm IST)