Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

જુના ઝઘડાની અદાવત રાખી ફતેપુરામાં બે ટોળાનો પથ્થરમારો

વડોદરા:ફતેપુરા ધૂળધોયાવાડમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતે મુસ્લિમ કોમના ટોળાએ પથ્થરમારો કરતા તંગદિલી ફેલાઇ હતી., જેમાં એક વૃધ્ધાને માથામાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદના આધારે વારસીયા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, શહેરના અતિ સંવેદનશીલ એવા ફતેપુરા ધૂળધોયાવાડમાં આજે બપોરે પથ્થરમારો થતા કોમી તંગદિલી ફેલાઇ હતી. જેમાં ઇજાગ્રસ્ત લક્ષ્મીબેન રમણભાઇ પરમારે (ઉ.વ.૬૦) વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજે બપોરે હું મારા ઘર પાસે સગડી-ચૂલા બનાવતી હતી. બપોરે પોણા બે વાગ્યે મારા મહોલ્લાની પાછળ રહેતો હિતેશ ઓડ તથા ત્રણ છોકરાઓ ચાલતા-ચાલતા ખારી તલાવડીની ધૂળધોયાવાડ તરફ જતા હતા. તે સમયે મારા મકાનની સામે રહેતો અલ્તમાશ ચીકનવાલા, મોઇ, સલમાન, બાદશાહ તથા ફરહાને હિતેશ ઓડ સાથે જૂના ઝઘડાની અદાવતે ઝઘડો શરૃ કર્યો હતો. અને અચાનક તેઓ વચ્ચે મારામારી શરૃ થઇ હતી. 

(4:36 pm IST)