Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવકતા શકિતસિંહ ગોહિલના માતુશ્રીનું નિધનઃ ઘેરો શોક

રાજકોટ તા. રઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રિય પ્રવકતા શ્રી શકિતસિંહજી ગોહિલના માતુશ્રી રાજેન્દ્રકુમારીબા હરિશ્ચંદ્રસિંહ ગોહિલ નું આજે દુઃખદ અવસાન થયું છે. કોરોના મહામારી સંદર્ભે લૌકિક વ્યવહારો બંધ રાખેલ છે.

પૂ. સ્વ. રાજેન્દ્રકુમારીબા (લીમડા તા. ઉમરાળા-ભાવનગર) ગઢકા (રાજકોટ)ના તાલુકદાર શ્રી લખધીરસિંહજી જાડેજાના પુત્રી થાય છે અને લીમડાના તાલુકદાર, માજી ધારાસભ્ય ત્થા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ સ્વ. રણજીતસિંહ ગોહિલના પુત્રવધુ થાય છે, ત્થા શ્રી શકિતસિંહજી ગોહિલ, સ્વ. દૂર્ગેશસિંહજી ગોહિલ, શ્રી શિવરાજસિંહજી ગોહિલ અને શ્રી હરવિજયસિંહ ત્થા શ્રીમતિ જયલક્ષ્મીબા (બાલાબા) રઘુવીરસિંહજી જાડેજા અને શ્રીમતિ આશાબા મયુરસિંહજી જાડેજાના માતુશ્રી થાય છે.

શ્રી શકિતસિંહજી ગોહિલ અમદાવાદથી લીમડા આવવા નિકળી ગયા છે. કોરોના મહામારીને લીધે લોકોને રૃબરૃ નહિ આવવા વિનંતી કરી છે.

(2:51 pm IST)