Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

શાહરૂખને પરણી જવાથી હું મુસ્લિમ નથી બની ગઇઃ ગૌરી ખાન

મુંબઇ, તા.૩: કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને એક ઈન્ટરવ્યુમા જણાવ્યું હતું કે હું શાહરૂખ ખાનની પત્ની છું, પરંતુ એનો મતલબ એમ નથી કે મેં મારો ધર્મ બદલ્યો છે. હું હજુ હિન્દુ જ છું. હું તેમના ધર્મનો આદર કરું છું અને તેઓ પણ મારા ધર્મનો આદર કરે છે. કરણ જોહરે ગૌરી અને રીતિક રોશનની પત્ની સુઝેન ખાન સાથે વાત કરી હતી. જેમાં અલગ અલગ ધર્મના પતિ-પત્નીઓ ધર્મની બાબતમાં કેવું સંતુલન રાખશે, તેમ પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે અમે બન્ને એકબીજાના ધર્મનો આદર કરીએ છીએ, દરેકને પોતાનો ધર્મ અનુસરવાનો હક છે. સુઝેન પોતે મુસ્લિમ છે અને પંજાબી પરિવારમાં લગ્ન થયા છે ત્યારે તેણે કહ્યું હતુ કે પતિ-પત્ની અલગ અલગ ધર્મના હોય ત્યારે બાળકોને પણ બન્ને ધર્મનો આદર કરતા અને તે ધર્મની શ્રેષ્ઠ વસ્તુઓને અપનાવતા શિખવાડવાનું હોય છે. હું અને રીતિક આમ માનીએ છીએ.

(11:19 am IST)