Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સુબ્રમણ્યમ બદ્રીનાથ ક્રિકેટમાંથી લેશે સન્યાસ

ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ ધરાવતો તામિલનાડુનો ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથ ટુંક સમયમાં ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરશે. ૩૭ વર્ષનો બદ્રીનાથ ભારત માટે બે ટેસ્ટ, ૭ વન-ડે અને એક ટી-૨૦ રમી ચૂકયો છે જેમાં તેણે અનુક્રમે ૬૩, ૭૯ અને ૪૩ રન બનાવ્યા છે. જો કે ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં તેણે ૧૪૫ મેચોમાં ૩૨ સેન્ચુરી અને ૪૫ હાફ સેન્ચુરીની મદદથી ૧૦,૨૪૫ રન બનાવ્યા છે. આઈપીએલમાં તે ચેન્નઈ વતી રમ્યો છે અને ૯૫ મેચોની ૬૭ ઈનિંગ્સમાં ૧૧ હાફ સેન્ચુરી સાથે તેણે ૧૪૪૧ રન બનાવ્યા છે.

(12:37 pm IST)