Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બદ્રીનાથના કારણે દિલીપ વેન્ગસરકરે ગુમાવ્યુ હતું ચીફ સિલેકટરનું પદ

૨૦૦૮માં ક્રિકેટ બોર્ડમાં સિલેકશન કમીટીના ચેરમેનપદેથી દિલીપ વેન્ગસરકરને જવુ પડ્યુ એના મુળમાં પણ બદ્રીનાથ હોવાનો ખુલાસો તેમણે થોડા દિવસ પહેલા કર્યો હતો. ક્રિકેટ બોર્ડના તત્કાલીન અધ્યક્ષ એન. શ્રીનિવાસન તેમની ચેન્નઈની ટીમમાં રમતા અને તેમના સ્ટેટ તામિલનાડુના ખેલાડી બદ્રીનાથને ટીમમાં લેવા માગતા હતા, પણ વેન્ગસરકરે વિરાટ કોહલીને પસંદ કર્યો હતો. એથી થોડા દિવસો બાદ ચીફ સિલેકટર પદેથી વેન્ગસરકરને હટાવવામાં આવ્યા હતા. આ મુદ્દે વેન્ગસરકરના કહેવા મુજબ ટીમ ઈન્ડિયાનો કોચ ગેરી કર્સ્ટન અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બદ્રીનાથને ટીમમાં લેવા માગતા હતા.(૩૭.૪)

(12:35 pm IST)