Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

SGVP શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ અને SGVP ગુરૂકુલ રીબડા (રાજકોટ) દ્વારા નિરાધારોને ભોજન સહાય

અમદાવાદઃ ભારતમાં દિવસે દિવસે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે અને લોકડાઉનને લીધે હજારો લોકોને જીવન નિર્વાહની સામગ્રીની મુશ્કેલીઓ ઉભી થઇ છે. સરકારશ્રી આ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રચંડ પુરૂષાર્થ કરે છે ત્યારે સેવાભાવી સંસ્થાઓએ આમાં મદદરૂપ થવાની જરૂર છે.

આ દ્રષ્ટિ ખ્યાલમાં રાખીને SGVP ગુરૂકુલના શા.માધવપ્રયિદાસજી સ્વામી અને મેમનગર ગુરૂકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી જરૂરિયાતમંદોને ભોજન સહાય માટે દરરોજ SGVP ગુરૂકુલના સંતો મોટા પાયા પર ભોજન તૈયાર કરી રહ્યા છે અને રાષ્ટ્રીય સેવક સંઘના ભાવિક કાર્યકર્તાઓ ભોજન વિતરણની વ્યવસ્થા સંભળી રહ્યા છે. SGVP ગુરૂકુલ છારોડીમાં રોજ બે હજાર માણસોનું ભોજન બની રહ્યું  છે.

એજ રીતે SGVP  શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રીબડા (રાજકોટ)ના શા. ધર્મવત્સલદાસજી સ્વામી તથા સાથેના સંતો મોટા પાયા પર ભોજન તૈયાર કરી બોલબાલા ટ્રસ્ટ રાજકોટના ઉત્સાહ સેવાભાવી સ્વયંસેવકોના સહયોગથી ભોજન વિતરણની વ્યવસ્થા સંભાળી રહ્યા છે.ગુરૂકુલ પણ વિતરણ વ્યવસ્થામાં સહભાગી થયું છે SGVP ગુરૂકુલ રીબડામાં રોજ એક હજાર માણસો માટે રસોઇ બની રહી છે.

આ રીતે SGVP દ્વારા કુલ ૩૦૦૦ લોકો માટે દૈનિક ભોજન વ્યવસ્થા ચાલુ થઇ છે. આવતા દિવસોમાં જેમ જરૂરિયાત વધશે તેમ તેમાં વધારો કરવામાં આવશે. આ સેવાકાર્ય આપત્કાળ પુરો નહી થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ જણાવાયું છે.(૬.૪)

(6:38 pm IST)