Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જેતપુરનાં અમરનગરમાં ડો.યોગેશભાઇ વસાણી પરિવાર દ્વારા દ્વારકાધીશજીને ધ્વજા ચડાવીને પૂ. હરિચરણદાસજી મહારાજના જન્મદિનની ઉજવણી

આટકોટ, તા.૩૧:  જેતપુર તાલુકાના અમરનગરના લોહાણા વસાણી પરિવાર જે પુજય જલારામ બાપા ના વેવાણ સંત શિરોમણી શ્રી જસુમાના પરિવાર ડો. યોગેશ વસાણીના પરિવારે પ્રતિ વર્ષની જેમ સદગુરુ શ્રી હરિચરણદાસજી મહારાજ ના ૯૯ મા જન્મ દિવસ ની ઉજવણી અને સદગુરૂની તંદુરસ્તીની શુભકામના સાથે દ્વારિકાના જગત મંદિર પણ સતત ૧૫ વર્ષ થી આજ ૧૫ મી ધ્વજા ચઢાવેલ હતી . 

આજ થી ૧૬ વર્ષ પેલા ૩૦/૦૧/૨૦૦૪ના રોજ ડો. યોગેશ વસાણીના પરિવારે સદગુરુ શ્રીની હાજરીમાં ધ્વજાજી ચઢાવેલ બાદમા હમેશા ચૈત્ર સુદ છઠ્ઠના રોજ ગુરુદેવના અવતરણ દિવસના દિવસે જ ઘ્વજાજી ચઢાવે છે.

આ વર્ષે મહામારી કોરોનાના કારણે રૂબરૂ ડો. વસાણીના પરિવાર ન જઈ શકતા વસાણી પરિવારના ગોર શ્રી અરવિંદભાઇ વાઈડા અને ડો. વસાણી ના દ્વારિકા ના મિત્ર ડો ધર્મેન્દ્ર મજીઠીયા ના પરિવારે ડો. વસાણી પરિવારના પ્રતિનિધિ તરીકે પૂજા કરી ધ્વજા ચઢાવેલ અને ડો. યોગેશ વસાણી એ એમના ઘર પર ગુરુદેવની તંદુરસ્તી અને લાંબી આયુષ્યની કામના સાથે હવન કરેલ.

આજથી ૧૬ વર્ષ પેલા મહારાજ શ્રી અને ડો. યોગેશ વસાણીએ સાથે ધ્વજા ચઢાવેલ હતી.

(11:27 am IST)