Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોનાને પગલે મોરબી સબજેલમાંથી ૧૯ કેદીઓ મુકત

મોરબી,તા.૩૧ : હાલ કોરોનાના કારણે સમગ્ર રાજયમાં જેલમાં રહેલા કેદીઓ ચેપગ્રસ્ત ન બને તે માટે તેઓને છોડવાની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. તે દરમિયાન મોરબી સબ જેલમાં પણ કાચા કામના કેદી પ્રકાશ ઉર્ફે પકો ડાયાભાઇ ફાંગલિયા, વિશાલ ભરતભાઇ ફાંગલીયા, નિકુલ સાદુર્લભાઈ ફાંગલીયા, કમલેશ ઉર્ફે કમો સાદુર્લભાઈ ફાંગલીયા,  સહદેવભાઈ સાદુર્લભાઈ ફાંગલીયા, જગદીશ પ્રવીણભાઈ સીતાપરા, માવજીભાઈ મગનભાઇ કૈલા, દિનેશભાઇ પુંજાભાઈ ટુડિયા, ગોપાલ બાલુભાઈ સૂર્યવંશી, પ્રવીણ રણછોડભાઈ ભોજાણી, મિતેષ ઉર્ફે પ્રેમ અરૂણભાઇ, સહેજાદ કાળુભાઇ પરમાર, નાનજીભાઈ સોમાભાઈ જિંજુવાડીયા, હર્ષદ દીપકભાઈ સીળોજિયા, બાદશાહ રમજાનભાઈ ફકીર તેમજ પાકા કામના કેદી હર્ષદગિરી ભવાનગિરી ગોસ્વામી, ઇમરાન નૂરમામદ કૈડા, બળદેવભાઈ ગોવિંદભાઈ ચાવડા અને ભાવેશ સામજીભાઈ ચાવડાને બે માસના પેરોલ પર મુકત કરવામાં આવ્યા છે.

(11:21 am IST)