Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના વાયરસ અંગે અફવા ફેલાવવી ભારે પડી :ખંભાળીયાના પરોડીયા ગામના સરપંચ અને ગ્રામજનો સામે પોલીસ ફરિયાદ

ગામ નજીક વિદેશી જહાજ આવ્યું અને જહાજના લોકો ગામમાં આવ્યાની જાહેરાત કરી હતી

દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના પરોડિયા ગામના સરપંચ અને ગ્રામજનો કોરોના વાયરસ મામલે ખોટી અફવા ફેલાવવા મામલે પોલીસે ફરિયાદ નોંઘીને વધુ  તપાસ હાથ ઘરી છે.  

આ  અંગે મળતી વિગત મુજબ સલાયા મરીન પોલીસ ઈન્સ્પેકટર જી. આર. ગઢવીના ઘ્યાન ઉપર આવેલ કે પરોડિયા ગામના સરપંચ ભીખાભાઇ ડોસલભાઈ ભાચકન તથા પરોડિયા ગામના અન્ય ગ્રામજનોએ હાલાર ટુડે પ્રેસમાં એવી જાહેરાત આપેલ કે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લોક ડાઉન વચ્ચે જિલ્લાના તંત્રની ઢીલી નીતી આવી સામે આવી છે. તેમાં પરોડિયા ગામે નજીક બે દિવસ પહેલા વિદેશી જહાજ આવેલ છે. ત્યારે જહાજમાં રહેલ લોકો ગામમાં આવતા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ મુજબની જાહેરાત આપી હોય જે લોકોને ગુમરાહ કરનાર હોવાથી અને કોરોના વાઇરસની આપતી અંગે ખોટી અફવાઓ ફેલાવી લોકોને ભયભીત કરે છે.

(8:55 pm IST)