Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

પોરબંદરમાં કોરોનાથી વધુ ૧ મૃત્યુઃ નવા ૩૭ પોઝીટીવ કેસોઃ ૩ર દર્દીઓ સારવારમાં સાજા થયા

(પરેશ પારેખ, સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૭: ર૪ કલાકમાં કોરોનાની સારવારમાં વધુ એક દર્દીનું મૃત્યુ તેમજ નવા ૩૭ કોરોના પોઝીટીવ કેસો આવ્યા છે. સારવાર દરમિયાન ૩ર દર્દીઓ સાજા થઇ જતા તેઓને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ગઇકાલે ૩૭૨ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૩૭ વ્યકિતઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા. આ કોરોના પોઝીટીવ કેસો જયુબેલી, પારેખ ચકલા પોલીસ હેડ કવાટર્સ વાઘેશ્વરી પ્લોટ ગોસા વિસ્તારમાંથી આવ્યા છે. પોરબંદરથી ગાંધીનગર આરોગ્ય વિભાગને મોકલવામાં આવેલ આંકડામાં પ૧ કેસ કોરોના  પોઝીટીવ દર્શાવ્યા છે. શહેર જીલ્લામાં અત્યાર સુધીમાં ૧૩ પપપ૬  કોરોના ટેસ્ટ તેમજ અત્યાર સુધીમાં કુલ ૧૩૦૦ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા થઇ છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૧૨૪ દર્દીઓ કોરોનાની સારવારમાં સાજા થઇ ગયેલ છે. સરકારી  હોસ્પીટલમાં હાલ નવા ૪૬ દર્દીઓ તેમજ કોરોના કેર સેન્ટરમાં નવા ૪૭ દર્દીઓ સારવાર લઇ રહયા છે.

(1:11 pm IST)