Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વાંકાનેર : ઉદાસીન આચાર્યદેવના જન્મદિનની ઉજવણી

વાંકાનેર : પંજાબમાં ઉદાસીન આચાર્યદેવ જગતગુરૂ શ્રીચંદ્ર ભગવાનની પરપમી જન્મજયંતી તેમજ ગુરૂ નાનકદેવજીની જન્મજયંતી ઉજવવામાં આવી હતી. સમગ્ર ભારતભરમાં ધર્મ પ્રચારાર્થે શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાની જમાત ઉદાસીન આશ્રમે જાય છે.તાજેતરમાં નાનકચકમાં ઉદાસીન આચાર્ય ૧૧૦૮ જગતગુરૂ શ્રીચંદ્ર ભગવાનની (પરપમી) જન્મજયંતી તેમજ શ્રી ગુરૂ નાનકદેવની (૫૫૦મી) જન્મજયંતી પરમ વંદનીય મહંત શ્રી રઘુમુનીજી મહારાજ તેમજ અનેક સંતો તપસ્વી મહાત્માઓના વિશાળ સંખ્યામાં આસ્થાભેર ઉજવાયેલ. જયા પુ.રઘુમુનીજી મહારાજશ્રીના ભકતજન જોડીયાવાળા હાલ પુનાવાળા શ્રી હરિભાઇએ માહિતી આપેલ છે.

(11:47 am IST)