Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

મોરબીમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ જીલ્લા સંત સમાજની બેઠક મળી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૧: શ્રીરામ જન્મભૂમી તીર્થક્ષેત્ર ટ્રસ્ટ આયોજિત મોરબી જીલ્લાની સંતબેઠક મોરબી જીલ્લા સંત સંયોજક પુ. નીરંજનદાસજી મહંતના અધ્યક્ષસ્થાને ઉમિયા આશ્રમમાં આજે મળી હતી.

પ્રારંભમાં રામલલ્લાની આરતી કરવામાં આવી હતી પુ. ભાણદેવજી, પુ. દામજી ભગત, પુ. સત્યાનંદજી, અશ્વિનભાઈ રાવલ, ખુશાલગીરી સહિતના સંતો પધાર્યા હતા મુખ્ય વકતા તરીકે ડો. ભાડેશીયાએ શ્રી રામજન્મભૂમીની વિસ્તૃત માહિતી આપી હતી સંઘ પરિવાર દ્વારા ૧૫ મી જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી દોઢ માસ સુધી જનસંપર્ક તથા નિધિ સંગ્રહ મહા અભિયાન કરવામાં આવશે.

સંઘ તથા પરિષદના કાર્યકરો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અધ્યક્ષસ્થાને પુ. નિરંજનદાસજી મહારાજે જણાવેલ કે ૧૪ મી જાન્યુઆરીએ ઉમિયા આશ્રમમાં શ્રીરામ મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયાની માહિતી આપી હતી તેમ મહા અભિયાન સમિતિના જીલ્લા સંયોજક રામનારાયણ દવે અને જીલ્લા મંત્રી હસુભાઈ ગઢવીએ જણાવ્યું હતું .

(11:32 am IST)