Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ભાવનગર એસટી ડેપોને દિવ મોરબી અને રાજકોટ રૂટની ૩ બસની ફાળવણી

ભાવનગર તા.૧૮ : એસ.ટી. ડેપોને ત્રણ નવી બસની ફાળવણી કરવામાં આવી છે.

ભાવનગર એસ.ટી.ડેપોમાં હાલ અનેક બસો ઓવર એ જ હોવા સાથે કંડમ હાલતમાં છે છતા પણ દોડાવવામાં આવી રહી છે. નવી બસોની માંગ પણ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીઆરટીસી) દ્વારા અશોક લેલન્ડ તથા ટાટા પાસેથી બસ ખરીદવામાં આવતી હતી. પરંતુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એસ.ટી.તંત્રને ઘર આંગણે બસ નિર્માણ કરી આ બસો સેવામાં લેવા જણાવેલ આથી સ્ટેટના મુખ્ય વર્કશોપ એવા અમદાવાદના નરોડા ખાતે આવેલ હેડ વર્કશોપ ખાતે એસ.ટી.બસોનું નિર્માણ શરૂ કરાવવામાં આવ્યું છે.

આ બસ ભાવનગરથી દિવ તથા ડેપોથી મોરબી અને રાજકોટ રૂટને સાકળતી સેવા શરૂ કરવામાં આવી છે. એસ.ટી. અનુસાર આગામી દિવસોમાં પણ હજુ વધુ બસોની ફાળવણી કરવામાં આવશે. ભાવનગર સિવાય મહુવા, પાલીતાણા તથા બરવાળા ડેપોને પણ નવી બસો ફાળવવામાં આવી છે.(૪૫.૨)

(11:52 am IST)