Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ટંકારાના મોટા ખીજડીયા ગામે શોભાયાત્રામાં અકસ્માતે ફાયરીંગ : મોરબીના ઉપેન્દ્રસિંહને ઇજા

રાજકોટ ખસેડાયા : મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની શોભાયાત્રામાં રિવોલ્વર લોડ કરતા'તાને અકસ્માતે ટ્રીગર દબાઇ ગયું

ટંકારા, તા. ૧૮ : ટંકારાના મોટા ખીજડીયા માતાજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામૈયા શોભાયાત્રાના સ્વાગતમાં અકસ્માતે ફાયરીંગ થતા ગરસીયા યુવાનને માથામાં ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

ટંકારા તાલુકાના મોટા ખીજરડીયા ગામે ઝાલા પરિવારના કુળદેવી આદ્યશકિતમાંના નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રવિવારના રોજ યોજાયેલ હતો. જેમાં સાંજે સામૈયા કરી માંની મૂર્તિનું સ્વાગત કરતા હતાં ત્યારે મોરબીના ઉપેન્દ્રસિંહ ઝાલા પોતાની પાસે રહેલી રિવોલ્વર લોડ કરતા હતાં ત્યારે અકસ્માતે ટ્રીગર દબાય જતા ગોળી પહેલા રોડ પર ત્યાર બાદ માથા નજીકથી પસાર થતાં ઇજા થઇ હતી.  રિવોલ્વર લોડ કરતા અકસ્માતે ફાયરીંગ થતા ઉપેન્દ્રસિંહને પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં તથા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

આ અંગે પોલીસને જાણ થતા પી.એસ.આઇ. એમ.ડી. ચૌધરી તથા સ્ટાફ દોડી ગયેલ અને તપાસ હાથ ધરેલ છે. (૮.૬)

(11:51 am IST)