Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ન્યુઝીલેન્ડમાં આતંકી હુમલાનાં મૃતકોનાં પરિવારજનોને પૂ. મોરારીબાપુ દ્વારા ર.૪૫ લાખની સહાય

ભાવનગર તા.૧૮: મારા ભાઇ-બહેનો શું આપને એવું નથી લાગતું કે આજના વિશ્વની તમામ સમસ્યાઓના મૂળમાં પ્રેમનો અભાવ છે? આ વેદનાયુકત શબ્દો છે પુજય મોરારીબાપુના કે જેવો છેલ્લા ૬૦ ઉપરાંત વર્ષોથી 'પરસ્પર પ્રેમ દેવો ભવ'ના સૂત્રને ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ છે.

ઝનૂન, ઉન્માદ, ધાર્મિક સંકુચિતતા અને વિઘટનકારી વિચારધારાઓએ વિશ્વને ખુક નુકશાન પહોંચાડયું છે. જેનું એક વરવું ઉદાહરણ એટલે ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ ખાતે થયેલ હુમલો. આ હુમલામાં ૪૯ વ્યકિતઓએ પોતાની જીવ ખોયો છે. ન્યુઝીલેન્ડ ખાતે સ્થિત રામકથાના શ્રોતાઓની મદદ વડે શ્રી હનુમાનજીની સાંત્વનારૂપે શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા પ્રત્યેક મૃતકના પરિવારજનોને પૂ.મોરારીબાપુએ રૂા. ૫૦૦૦/-ની સહાય પહોંચાડવામાં આવશે. જેની કુલ રાશિ રૂા. ર,૪૫,૦૦૦/- છે.

(11:46 am IST)