Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગોંડલમાં આજે સ્વ.ગોવિંદભાઇ દેસાઇની નવમી પુણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમ

ગોંડલ તા.૧૮: ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં લોકચાહના ધરાવતા રાજકીય ક્ષેત્રે સમાજ સેવાની વિશિષ્ટ કામગીરી કરી લોક હદયમાં અનેરી ચાહના ઉભી કરી સર ભગવતના સ્વપ્ન સમી ગોંડલ નગરીને પૂર્ણ આત્મીયતાથી હદયસ્થ કર્મભુમિ બનાવી ગોંડલ શહેરને વિકાસની નૂતન દિશા બતાવનાર ગોંડલના પૂર્વ નગરપતિ અને નાગરિક બેંકના ચેરમેન ગોવિંદભાઇ દેસાઇની સોમવારે ૧૮મી માર્ચના રોજ નવમી પૂણ્યતિથિએ ગોંડલ નાગરિક સહકારી બેંકલી તેમજ ગં.સ્વ.જયોત્સનાબેન ગોવિંદભાઇ દેસાઇ તથા દેસાઇ પરિવારના વિશાળ શુભેચ્છક વર્ગ દ્વારા નવમી પુણ્યતિથિએ ભાવ વિભોર ઉજવણીના ભાગરૂપે વિવિધ ધાર્મીક તેમજ સામાજીક કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે.

ગોવિંદભાઇ દેસાઇ યુવા અવસ્થાથીજ હૃદયમાં દેશ પ્રેમ અને લોકસેવા કાર્યાની જયોતથી પ્રેરાઇને કેસરીયા મિજાક અનેક લોકસેવાના કાર્યા કરતા શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ કારકિદી દ્વારા કાયદાકીય સ્નાતકનો મુંબઇ ખાતે ઉચ્ચ અભ્યાસ કરનાર અરિહંત શરણ ગોવિંદભાઇ દેસાઇએ કારકિદીની શરૂઆતે હૃદયમાં ભરેલો દેશપ્રેમ અને લોક સેવાનો જવાળામુખી તેમને રાજકીય ક્ષેત્રેમાં ખેંચીલ લાવેલ ગોંડલ નગરીને પોતાની કર્મ ભૂમિ બનાવનાર ગોવિંદભાઇ દેસાઇએ નાગર શેરી, નાની બજાર ખાતે વસવાટ કરી અને જુના જનસંઘના પાયાના કાર્યકર તરીકે રાજકીય ક્ષેત્રે સેવાનો પ્રારંભ કરેલ તેમના સત્યનિષ્ઠા અને આખા બોલા સ્વભાવના કારણે કોઇપણ ચમર બંધીની શેહ શરમ રાખ્યા વગર ગોંડલ નગરપાલીકાનું બબ્બે દાયકા સુધી સફળ સુકાની પદ સંભાળી વિવિધ પ્રજાકીય કાર્યા કરેલ તેમજ ગોંડલ નાગરિક સહકારી બેંકમાં અણીશુધ્ધ પારદર્શક વહિવટ કર્તા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી તેમના દુરંદેસીવાળા સેવાભાવી સ્વ ભાવે ગોંડલમાં તુલસીબાગ, સેતુબંધ અને કન્યા કેળવણી માટે મહિલા કોલેજની સ્થાપના કરી પ્રજાકીય સુવિધાઓમાં વધારો કરેલ અરિહંત શરણ ગોવિંદભાઇ દેસાઇએ ગોંડલ નાગરિક બેંકના ચેરમેન પદે આરૂઢ થઇને ગોંડલ નાગરિક બેંકને વિકાસની નૂતન દિશા આપી ગોંડલનગરના અદના આદમીથી લઇ માતબર વેપારીઓ, કારખાને દારો, ઉદ્યોગપતિઓ, કિશાનો અને શ્રમિકોને આર્થિક સવલાતો પૂરી પડે અને ગોંડલ નાગરિક બેંક દ્વારા તેમના કાર્યકાળમાં અનેકવિધિ યોજનાઓ દ્વારા બેંકના કાર્ય ફલકને લોક ભાગ્ય બનાવી અને સેવાની જયોત પ્રગટાવેલ.

જેના ફળસ્વરૂપે સમગ્ર ગોંડલ વિસ્તારની ગોંડલ નાગરિક સહકારી બેંક તેમના માર્ગદર્શન નીચે પ્રગતીની હરણફાળ ભરેલ અને ગોંડલ નાગરિક બેંકને ઝીરો ટકા એન.પી.એમાં સ્થાન અપાયેલ અને એક સારા અર્થ શાસ્ત્રી સાબિત થયેલ હતા ગોવિંદભાઇ દેસાઇની નસેનસમાં ગોંડલ પ્રત્યેનો પ્રેમ વહેતો તેવા પ્રજાવત્સલ આગેવાન સ્વ.ગોવિંદભાઇ દેસાઇની ૧૮ માર્ચ અને સોમવારે નવમી પુણ્યતિથિ નિમિતે જય-તપનો કાર્યક્રમ યોજાનાર છે. તેમજ સ્વ.ગોવિંદભાઇને ભાવાંજલી આપવા દેસાઇ પરિવારના ઉપક્રમે તેમના નિવાસે જપ-તપનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે.

આયોજન ગં.સ્વ.જયોત્સનાબેન દેસાઇ, તેમજ યતિશભાઇ દેસાઇ, ભાવીકાબેન યતિશભાઇ દેસાઇ, કેતનભાઇ દેસાઇ, બીનાબેન કેતનભાઇ દેસાઇ, ચિન્મય, સહુજ, દિવ્યમ, દેસાઇના માર્ગદર્શન તેમજ પ્રયત્નોથી આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

 

(11:33 am IST)