Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ઉના તાલુકા શહીદ રાજપરા પ્રાથમિક શાળામાં ૧૨૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ૧૧ શિક્ષકો?: શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માગણી

ઉના, તા.૧૮: ઉના તાલુકા અને ગીર સોમનાથ જિલ્લા મોટી પ્રાથમિક  આ શાળામાં ૩૪ શિક્ષકોની જરૂર છે. ત્યાં માત્ર ૧૧ શિક્ષકો ૧૨૦૦ વિદ્યાર્થીઓને ભણાવે છે.

ઉના તાલુકામાં આવેલો રાજપરા બંદરગાહ તે મચ્છી ઉદ્યોગ તે સિઝનમાં ધમધમતો બંદર ગાહ છે અહીં લાખો ટન મચ્છી બહાર જાય અને આ બધા બંદર ગહા પર આ લોકોઆગામનીઙ્ગ રોજીરોટી ચાલે છે અને અહીં મૂળનિવાસીઓઙ્ગ બંદર થકી રોજીરોટી કમાઈ છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.

ત્યારે અહીં પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શાળાઓમાંનો ભણતા વિદ્યાર્થીઓ કફોડી પરિસ્થિતિ જોવા મળી છે. અહીં એક વર્ગમાં ૧૬૦ વિદ્યાર્થીઓ ભણે છે શિક્ષકોની મોટી ઘટ જોવા મળે છે. શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માગણી કરેલ છે.(૨૨.૬)

 

 

(11:31 am IST)