Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

હળવદના ચરાડવા મહાકાળી આશ્રમે સુકા ઘાસના ગોડાઉનમાં આગઃ ૩૦ લાખનો સુકો ઘાસચારો ભસ્‍મીભૂત

તસ્‍વીરમાં આગથી ગોડાઉનમાં ધુવાડાના ગોટેગોટા નીકળતા નજરે પડે છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા -જામનગર)

જામનગર તા. ૧૭ :.. હળવદ તાલુકાના ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે આજે સવારે ૮.૪પ વાગ્‍યે ૭પ × પ૦ ફુટના ગોડાઉનમાં કોઇ  કારણસર આગ લાગતા તાત્‍કાલીક મોરબી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ લખાય છે. ત્‍યારે  આગ કાબુમાં આવી ન હતી.

અંદાજે રપ થી ૩૦ લાખનો સુકો ઘાસચારો ભસ્‍મીભુત થયાનું  જાણવા મળ્‍યું છે.

વધુ વિગતો મેળવાઇ રહી છે. આ આગને કાબુમાં લેવા માટે મોરબીના કલેકટરશ્રી આર. જે. માકડીયાની સુચના બાદ મામલતદારશ્રી સોલંકી અને ટીમ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી.

મોરબીથી ૩ ફાયર ફાયટરોની અને હળવદથી એક ફાયર બ્રિગેડની ટીમે ચરાડવા દોડી ગઇ હતી. અને આગને કાબુમાં લીધી હતી.

(2:06 pm IST)