Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વાકાંનેરમાં હરિચરણદાસજી મહારાજનો પ્રાગટયદિનની ઉજવણી : ઝુપડપટ્ટીના બાળકોને ડ્રાયફ્રુટ વિતરણ કર્યું

વાંકાનેર તા.૧૩ : અનંત વિભૂષિત સદગુરૂ સ્વામી શ્રી રણછોડદાસજી બાપુના આનંદ આશ્રમ ખાતે સદગુરૂદેવ શ્રી હરિચરણદાસજી મહારાજનો પ્રાગટય દિન ધર્મ ભકિત સાથે સેવાનું પ્રેરણારૂપ કાર્ય કરી શિષ્ય પરિવારે અનેરી રીતે ઉજવણી કરી હતી.

સદગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજના પ્રાગટય દિને સદગુરૂ શિષ્ય પરિવારે ગુરૂદેવના આશિર્વાદ સાથે કાજુ બદામ સહિતના ડ્રાયફ્રુટ બિસ્કીટ તેમજ આઇસ્ક્રીમ સાથે શહેરના છેવાડે આવેલ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની ઝુપડપટ્ટીમાં જઇ સર્વે બાળકો અને તેના પરિવારને ડ્રાયફ્રુટના પેકેટો આપી આઇસ્ક્રીમ ખવડાવી ગુરૂદેવના જન્મદિનની ઉજવણીની ખુશી વ્યકત કરી હતી.

સદગુરૂ આનંદ આશ્રમ ખાતે અવનવા શણગાર સાથે ઝુલા ઉપર ગુરૂદેવની પ્રતિમાને ઝુલે ઝુલાવી સાથે પદુકાપૂજન કર્યુ હતુ. શ્યામ ધુન મંડળ દ્વારા સાંજે પ થી ૭ સુધી ધુન ભકિતરસ રજૂ કરેલ. ૭-૩૦ કલાકે નિજમંદિરમાં મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનો પ્રારંભ થયેલ આ પાવનકાર્યમાં બહોળી સંખ્યામાં સદગુરૂ શિષ્ય પરિવાર તથા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન પ્રસાદનો લાભ લીધો હતો.

(11:48 am IST)