Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ભાવનગરમાં બંધ મકાન નિશાન બન્યું: ૭૦ હજારની માલમત્તા ગઈ

ભાવનગર, તા. ૧૩ :. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શકિત માતાનાં મંદિર સામેની પંચરત્ન સોસાયટીના બ્લોક નં. ૪૦૪૭માં રહેતા અશોકભાઈ બાવળનાથ ગોસ્વામી તેના પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે તેના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાંથી રોકડ તથા ઘરેણા મળી રૂ. ૭૦ હજારની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ગળાફાંસો ખાઈ આપઘાત

બોરતળાવ વિસ્તારમાં બેંક કોલોનીમાં રહેતા જયપાલ રૂપસંગ ચૌહાણ (ઉ.વ. ૩૦)એ તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે પોલીસ વધુ  તપાસ  ચલાવી રહી છે.

(11:44 am IST)