Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

જુનાગઢમાં યુવાન અને વૃદ્ધનો ગળા ફાંસો ખાઇ આપઘાત

એક પ્રૌઢની ઝેરી દવા પીને આત્મહત્યા

 જુનાગઢ તા.૧ર : જુનાગઢમાં યુવાન અને વૃદ્ધે ગળા ફાંસો ખાતને આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી ગઇ હતી.

શહેરમાં મીરાનગર પાસે આવેલ હરિનગરમાં રહેતા વેપારી મનીષભાઇ હરભમભાઇ સુંડાવદશ મેર કોઇ કારણસર ગળાફાંસો ખાઇ લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

તેમજ જુનાગઢના ગણેશનગરમાં રહેતા ભરતભાઇ જેઠાભાઇ ગોહિલ (ઉ.પ૯) નામના વૃદ્ધે પણ ગત સાંજે ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી લેતા પોલીસે તપાસ આદરી છ.ે

ઉપરાંત શહેરની લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં રહેતા વિનોદભાઇ પરમાણંદભાઇ હરવાણી (ઉ.૪૭) એ માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળેલ છે.

(1:47 pm IST)